SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ . .. . . . . . . . . . . . - - - - - - - - - - ૧૦૬ અભિનવે ઉપદેશ પ્રાસાદ-૨ ત્યાગપૂર્વક તપશ્ચર્યા કરી રહ્યા હતા. ઇન્દ્રિયના વિષય અને કષાયે નિવારવામાં પણ પ્રયત્નશીલ હતા. વળી સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા પૂર્વક અભિગ્રહ ધારણ કરીને વિચરી રહ્યા હતા. તે સાથે બીજાની તુલના કરવા માટે આપણે એગ્ય જ ન ગણાઈએ. कषाय विषयाहार त्यागो यत्र विधीयते उपवासः स विज्ञेयः शेषं लंघनक विदुः ઉપવાસ તે જાણવો જ્યાં કષાય અને વિષય સાથે આહારને ત્યાગ કરા હેય બાકી [ખાલી ઉપવાસ તે લાંઘણ જ કહેવાય. ભૂખ્યા રહેવાની કલા આ શ્લોકમાં સારી રીતે વર્ણવી છે. ઉપવાસ માત્ર ભુખ્યા રહેવાથી ન થાય તે સાથે વિષય અને કષાયને ત્યાગ પણ નીતાત આવશ્યક છે. માત્ર આહાર ત્યાગ રૂપ ઉપવાસ કેવળ લાંઘણ જ ગણ્યા છે. ધન્યમુનિ તે પૂર્વાવસ્થાના અતિ શ્રીમંત ગૃહસ્થ હતા, કર પ્રસાદ વાળા મહેલમાં ૩૨ કન્યાઓ સાથે એકજ દિવસે પરણીને રહેલા હતા. પણ એક વખત પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત થઈ તેમણે માતા પાસે રજા માગી. નારય સકારા હું ગ રે માતા કાને આરાગ મુનીશ્વરની વાણી સુણી રે માતા, આ સંસાર અસાર હે જનની લેવું સંયમ ભાર– ધન્ય કુમારે કહે મારે દીક્ષા લેવી છે. ત્યારે માતાએ દીક્ષાના અનેક કષ્ટો વર્ણવ્યા છતાં વિષયભેગને તન અને મનથી દૂર કર્યા જાણ ભદ્રા માતા નિષ્કમણ મહોત્સવ કરે છે. તજ દીયા મંદિર માળીયા રે માતા તજ દીય સંસાર તજ દીની ધરકી નારીયા રે માતા છોડ ચાલ્યો પરિવાર હો જનની લેવું –સંયમ ભાર દીક્ષા દિવસથી જ ભગવંત પાસે અભિગ્રહ કરેલ. હે ભગવાન આપની આજ્ઞા હોય તે હું નીરંતર છઠ્ઠ કરીશ. પારણે ગૃહસ્થ તજી દિધેલ અને માખી પણ જેની ઈચ્છા ન કરે તે આહાર કરીશ. ત્યારે ભગવંતે પણ તેને યોગ્ય જાણી અનુજ્ઞા આપી હતી.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy