SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને આદર ---- - (૯) આકિંચન -- સર્વ પ્રકારના પરિગ્રહને કે મમત્વબુદ્ધિ ને ત્યાગ કરે. (૧૦) બ્રઘ - વિષય વાસના ત્યાગી સર્વ ઈદ્રિ પર સંયમ રાખ. આ રીતે સંવરને સમજાવતા યતિધર્મના દશે ભેદો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે માત્ર ક્ષમાને ધારણ કરશે તે ક્રોધને જ નિગ્રહ થશે. પણ કષાય કેટલા છે તે જાણે છે ? કષાયના ચાર પ્રકાર છે. ક્રોધ-માન-માયા-લોભ. જે રીતે ક્ષમા ધર્મથી કોધરૂપી આશ્રવને નિગ્રહ થાય છે. તે રીતે માર્દવતાથી માનને, આર્જવતાથી માયાને અને મુક્તિ ધર્મથી લોભરૂપી કષાય આશ્રવના દ્વારે બંધ થાય છે. એક ભિખારી હતે. ઈન્ટરનેશનલ ભિખારી, માત્ર એક ગામમાં જ ભીખ માંગે એ નહીં. ગામે ગામ અને દેશ વિદેશમાં ભીખ માંગતે ફરે. ફરતો ફરતો એક એવા રાજમાં પહોંચ્યું કે જ્યાં ભીખ માંગવાની મનાઈ હતી. તુરંત ત્યાંના પહેરેગીરે પકડીને રાજા પાસે હાજર કર્યો. રાજા કહે કેમ ભીખ માંગે છે? ખબર નથી આ રાજમાં ભીખ માંગવાની મનાઈ છે. ભિખારી કહે શું કરૂં નામવર ! આ પાપી પેટને માટે બધું કરવું પડે છે. રાજાએ તુરંત ભિખારી અને ભિખારણ માટે ભજનની વ્યવસ્થા કરાવી. બીજે દિવસે પાછે ભીખ માંગતા પકડાયો. રાજા ખીજા. પકડીને પૂરી દે આને જેલમાં. નામદાર ! પણ મારી સ્ત્રી બાળકની માં બને તેમ છે, તેને શું ખવડાવીશ ? માટે ભીખ માંગવી પડે ને ! રાજા કહે ઠીક છે. તેની વ્યવસ્થા થઈ જશે. જા કાલથી ભીખ માંગતે નહીં ત્રીજે દિવસે પાછો ભીખ માંગતા પકડાયે. રાજાને દિમાગ ફાટયો. ફાંસીએ ચડાવી દે આને ભિખારી કહે નામવર ! સાંભળો સાંભળેઆજકાલ જમાને બહુ ખરાબ છે, કયાંક એકની બદલે જોડકું આવી જાય તે ! ! ! લેભ કષાયને કેટલે ઉદય થયો આ. શાસ્ત્રકારો પણ ફરમાવે છે કે માત્ર સંજવલન લેભ કષાય સિવાયના ૧૫ ભેદને ક્ષયપશમ
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy