SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ હ૪૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ મૌન એકાદશીને દિવસ છે. નેવું જિનના દોઢસે કલ્યાણકાના પર્વને દિવસ છે. સુત્રતશેઠ પૌષધવ્રતની આરાધના કરવા બેઠા છે. ઘેર ચાર આવે, પેટીઓ તેડવાના અવાજો સંભળાયા, પણ સુવ્રત શેઠ ધ્યાન આપતા નથી. બીજો એક પ્રસંગ બન્યા. ચારે તરફ આગ લાગી છે. જવાળાઓ ફેલાઈ રહી છે. બચા-બચાવની બૂમ સંભળાય છે. છતાં સુવ્રત શેઠના કાન સંદેશે સાંભળતા નથી કે આંખે દને ઝીલતી નથી. પૌષધ થકી સંયમ આરાધનામાં ડૂબેલા શેઠ તે એકજ વિચાર કરે છે. આત્મધન ચોરાવાનું નથી અને જે ચેરાય છે તે મારું નથી. તેને એ પણ સમજણ બરાબર છે કે બળે છે તે મારું નથી અને મારુ છે તે બળતું નથી. પરિણામ કેટલું સુંદર આવ્યું કે ન તેનું ઘર બળ્યું કે ન કઈ વસ્તુઓની ચોરી થઈ. gવેલુ પોષઢ વર્ષ સંયમ દિન આરાધે એ વાત સુવ્રત શેઠને એટલી બધી દઢ થઈ ગઈ હતી કે અગ્નિ કટીમાં પણ તેઓએ વ્રતને છેડયું નહીં. તે તે સર્વ વિરતિ જીવનની તાલીમ તેને દીક્ષા અને કેવળજ્ઞાન અપાવનાર નીવડયા. सर्वेष्वपि तपोयोगः प्रशस्त काल पर्वसु अष्टम्यां पंचदश्यां च नियत: पौषध वसेत् સર્વકાલ પર્વમાં તે ગ શ્રેષ્ઠ છે, પણ આઠમ અને પૂનમે તે અવશ્ય કરીને પૌષધ ગ્રહણ કરે. એ પ્રમાણે ઉત્તરાધ્યયન સૂત્રની શાંતિસૂરિજીએ રચેલ વૃત્તિમાં જણાવેલ છે. અલબત્ત વર્તમાન કાલે પૂર્ણિમા ને બદલે ચતુર્દશીએ પાક્ષિક આરાધના કરવાની પરંપરા ચાલે છે તેથી આપણે આઠમ અને પાખી (પખી) બે તિથિઓમાં પૌષધની આરાધના ખાસ કરવી. પૂજ્ય લક્ષમીસૂરિજી મહારાજા એટલા માટેજ પફખી શબ્દને લક્ષમાં રાખી ઉપદેશ પ્રાસાદના વ્યાખ્યાન-૧૫રમાં જણાવી ગયાકે– सर्वारभ परित्यागात् पाक्षिकादिष पर्वष વિઘણ: વૌષussa-fમવ સૂર્યથી પાક્ષિક વગેરે પર્વોમાં સર્વ–આરંભને ત્યાગ કરી સર્વીશા રાજાની જેમ પૌષધ વ્રત અંગીકાર કરવું.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy