SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ દિન આરાધે ૩૪૩ આહાર, શરીરસત્કાર, મૈથુન અને પાપ વ્યાપારને ત્યાગ ચાર પર્વ દિનેમાં કરે તેને પૌષધવત કહેવાય છે. જે ચારે પ્રકારના પૌષધની આનંદ ગાથા પતિએ પણ આરાધના કરેલી હતી. પર્વ એટલે શું ? રાત રૂતિ પૂર્વ “ધર્મને સંચય કરવામાં હેતુભૂત બની, ધર્મને જે પૂરણ કરે તે પર્વ.” એ પર્વદિનેમાં પૌષધ કરો તેને વયે કહેવાય છે. પર્વતિથિમાં આઠમ–ચૌદશપૂનમ અમાસને સમાવેશ કરે છે, જે ચારિત્રનીતિથિ હેવાથી તેમજ શિષધ એ સર્વવિરતિ જીવનની આરાધના હોવાથી સંયમ દિન આરાધ નામ રાખ્યું. પણ સંયમ દિન (પર્વદિન) સંબંધમાં કદી કઈ ચિતન કર્યું છે ખરું ? ખ્રીસ્તીઓ અઠવાડીયે એક વખત છુટ્ટી છે, તેનું નામ પાડયું રવિવાર પણ તેઓ રવિવારને Holiday કહે છે. Holiday એટલે પવિત્ર દિવસ. આપણે તેને અર્થ કરી દીધે રજાને દિવસ. મુસ્લીમેએ શુકવાર રાખ્યો. કેમ રાખે? જ પાંચ નમાજ પઢવી જોઈએ પણ રોજ ન થાય તે છેવટે એક દિવસ પણ ધર્મકાર્ય માટે ફાળવવો. એ રીતે તમે કોઈ દિવસ ધર્મકાર્ય માટે રાખે કે પછી બારે મહિમા ગધેડાની જેમ મજુરી કરવાની? આઠમ અને ચૌદશ એ ચાર દિવસ મહિનામાં જેનેના રજાના દિવસો રાખ્યા. રજાના એટલે મજા કરવાના નહીં, પણ ધમ આરાધના કરવાના દિવસે જેમ નોકરીયાત કે બાળકને શનિવારની સાંજે આનંદ હોય તેમ શ્રાવક પણ તેરસ કે સાતમની સાંજે આનંદમાં હોય કે અહો કાલ તે પર્વને દિવસ છે. અમે તે પૌષધ કરી સંસારના કાર્યોમાં કાલે રજા રાખીશું. પૌષધ દ્વારા સાધુપણાની તાલીમ લેશું. . કેમકે પર્વતિથિ શા માટે છે ? આરાધના, ધર્મધ્યાન, બહારના સંબંધમાંથી રાજીનામું અને આત્મીય સંબંધે સાથે જમજા– નિજાનંદ કે શાશ્વત આનંદ આત્માને જ હોયને! દહને આનંદ માણવે તે બાળકના રવિવારની રજા જે કહેવાય. હવે તમે બાળક છે કે સમજદાર? નક્કી કરી લેજે.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy