SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પાપના બીજને બાળી નાખે ૨૭૭ -- --- શલ્ય એટલે જે ખટકે, ધ્રુજાવે કે પીડા કરે છે. જેમ કે કાંટે, ભાલો, તીર, ઝેર, ત્રણ વગેરે. ચૈત્યવંદન ભાષ્યમાં વિસલ્લીકરણને અર્થ જણાવતા કહ્યું કે આવા કંટાદિ શલ્યથી રહિત થવું તે- દ્રવ્ય વિશલ્ય કહેવાય. તે આ ભવ પુરતા તાત્કાલિક સુખને આપે. અને અતિચાર શલ્યથી રહિતતા તે ભાવ વિશલ્ય કહેવાય. ભાવ વડે શલ્ય રહિત થયેલ આત્મા આ ભવ પરભવ બંનેમાં સુખી થાય છે. જેમ શરીરમાં પડેલું ત્રણ (ઘા) તેમાંથી પરુ આવતું હોય ત્યારે માત્ર રૂ કે વસ્ત્ર વડે સાફ ન થઈ શકે. તેને માટે ખાસ ચિકિત્સા કરવી પડે, એ જ રીતે અતિચાર નિવારણ માટે હંમેશ માત્ર પ્રાયશ્ચિત ન ચાલે પણ અતિચારના પ્રભવસ્થાને જેવા શલ્ય નિવારવા પડે. (૧) માયાશલ્ય જે વ્રત નિયમમાં કેઈ દંભ કે માયાચારને રસ્થાન હોય તે માયા શલ્ય સમજવું. (૨) નિયાણ શલ્ય - જે વ્રત નિયમનું પાલન દ્વારા માત્ર મિક્ષની ઈચ્છા ન હોય તે (એટલે કે સાંસારિક કે પદગલિક ઈચ્છા હોય તે) તેને નિયાણ શલ્ય સમજવું. (૩) મિથ્યાત્વ શલ્ય – જે વ્રત નિયમની સર્વ શ્રેષ્ઠતા વિશે નિઃશક (શ્રદ્ધાવાન) ન હોય તે તે મિથ્યાત્વ શલ્ય સમજવું. - આ ત્રણે શલ્ય મેક્ષમાર્ગમાં અંતરાયભૂત છે, અને ભયારણ્યમાં ભટકાવ્યા કરે છે. માટે દ્રવ્યથી અને ભાવથી તે શલ્યોનું નિવારણ કરવું. કર્ણને જૈનેતર પસંગ વાંચેલો. કર્ણ એક વખત વિદ્યા શીખવા પરશુરામ પાસે ગયેલે, પણ પરશુરામ કદી ક્ષત્રીયને ભણાવે નહીં. તેથી કર્ણ બ્રાહ્મણરૂપ ધરી જાય છે. પરશુરામની ખૂબજ વિનય ભક્તિ કરતાં બહુમાન પૂર્વક વિદ્યા ગ્રહણ કરતો હતો. શ્રી કૃષ્ણને ખબર પડી. ત્યારે તેણે વિચાર્યું કે જે આ કર્ણ વિદ્યાસિદ્ધ પુરુષ થશે તે ભવિષ્યમાં મેટી મુશ્કેલી સર્જશે. માટે તેને કેઈક રસ્તો કાઢ પડશે. શ્રી કૃષ્ણ ભ્રમરનું રૂપ લઈ ગયાં. ત્યાં હજી પરશુરામ સુતા છે. કર્ણ તેને વીંઝણે વીંઝી રહ્યો છે. પરશુરામની ઉંઘમાં સહેજ પણ ખલેલ ન પડે તે માટે પુર્ણ ભક્તિ અને સાવધાનીથી બેઠે છે. તે સમયે ભ્રમર રૂપધારી શ્રીકૃષ્ણ કર્ણને કરડવા જાય છે. કર્ણ એક હાથે ભ્રમરને ઉડાડવા ઘણી મહેનત કરે છે પણ ભ્રમર કેમેય ઉડ નથી કર્ણને કર
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy