SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મહત્યા વિના શરીરત્યાગ નેમિ ફરી સંયમમાર્ગમાં સ્થિર થયા. નેમિનાથ પ્રભુ પાસે જઈને રથનેમિએ પ્રાયશ્ચિત કર્યું. તેણે ફરી કાર્યોત્સર્ગમાં કાળાં મોજાં ફળ પૂર્વક સMા વોસિરામ કર્યું અને તે જ ભવે મેક્ષમાં સીધાવ્યાં. મોઘ – મૌન વડે સ્થિર થઈને- એટલે કે કાર્યોત્સર્ગ દરમ્યાન વાણી પ્રયોગ બંધ કરો. કેમ કે વાણીને મન સાથે ગાઢ સંબંધ છે. અને મનને સ્થિર કરવા મૌન જરૂરી છે. પણ યાદ રાખો કે મૌન એટલે મેઢાને ખંભાતી તાળું મારી રાખવું માત્ર” એ અર્થ ન કરતાં. મોનમાં કરવાનું છે વિચારેનું વિસર્જન. કારણ કે ન બેલવા રૂપ મૌન તે બાવન લાખ યોની કાયના જીવોને પણ હોય છે. છતાં તેને મેણે ન કહેવાય. શાળ – કાયોત્સર્ગ દરમિયાન મને ગુપ્તિ જાળવે. એટલે કે મનને ત્યાં ત્યાં ભટકવા દેવું નહીં. મનને મર્કટની ઉપમા આપી છે. મનડું કીમ હી ન બાજે હે કુંથુજિન મનડુ કિમી ન બાજે - જિનભદ્રગણી ક્ષમાશ્રમણે તે ધ્યાનની વ્યાખ્યા જ એ રીતે કરી છે કે “જે સ્થિર મન છે તે જ ધ્યાન છે.” પ્રતિક્રમણ સૂત્ર પ્રબંધ ટકા (ભાગ-૧) માં ધ્યાનના મહત્વને વર્ણવતા સરસ વાત જણાવી છે. પ્રતિક્રમણમાં કાર્યોત્સર્ગ વિધિ ચાલતી હોય, નિયત પ્રમાણ મુજબ આપણે કાઉસ્સગ્ન થઈ ગયો પણ બીજાને કાઉસ્સગ્ન પાળવાની વાર છે, તે તે વચ્ચેના સમયમાં કરવું શું ? ત્યાં જણાવે કે “ધર્મ ધ્યાન”— શુભ ધ્યાનમાં રહેવું. પણ તે સમયે આડા અવળા વિચારે કે વાતે ન થાય. આમ સ્થાન વડે કાયમુતિ, મૌન વડે વચન ગુપ્તિ અને ધ્યાન વડે મને ગુપ્તિની સાધના કરવાની છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, રાજગૃહીથી દૂર જંગલમાં એક પગ ઉપર ઉભા ને બીજો પગ પેલા પગ ઉપર ચઢાવી, બંને હાથ વંદન મુદ્રામાં અદ્ધર ઉચા રાખી ઉઘાડા આકાશ નીચે ઉભા છે. સૂર્ય સામે નજર રાખી કાર્યોત્સર્ગ કરી રહ્યા છે. સમ્રાટ શ્રેણિક પિતાના રાજ પરિવાર સાથે પરમકૃપાળુ પરમાત્મા શ્રી વીર પ્રભુના વંદનાથે જઈ રહ્યા છે. ધ્યાનસ્થ મુનિને જોઈને હાથી
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy