SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ (૩) વંદન :- ગુરુ પરના વિનય રૂપે સંડાસા પ્રમાર્જન પૂર્વક ઉભડક પગે બેસી, મુહપત્તિની પડિલેહણ કરે. જેમાં હેયનું પરિ. માર્જન અને ઉપાદેયની ઉપસ્થાપના કરે. પછી દ્વાદશાવર્ત વંદન માટે વાંદણાને પાઠ કરે. (૪) પ્રતિકમણ - પ્રથમ સમ્યફ રીતે શરીર નમાવી, પૂર્વે મનમાં ધારી રાખેલા અતિચારેનું અવગ્રહમાં રહીને જ ગુર્વાસાથી આવેચન કરે, સાત લાખ થકી જીવ વિરાધનાનું અને અઢાર પાપ સ્થાનકેનું મિચ્છામિ દુક્કડમ આપી, સવ્વસ્ટવિ સૂત્ર બોલી મન-વચનકાયાના અતિચારનું પ્રાયશ્ચિત માંગે. ત્યારે ગુરુ કહે વિમે. ત્યારે પ્રતિક્રમણ કરવા વંદિત બોલે— વંદિત બેલવા વીરાસને બેસી, માંગલિક માટે નવકાર ગણું, કરેમિ ભંતે થકી સમતામાં સ્થિર થઇ. સામાન્ય આલેચના માટે ઈચ્છામિ પડિકમિઉં સૂત્ર બેલી વંદિત બેલે. તેમાં તસ્ય ધમ્મક્સ પદ બેલતા અતિચારના ભારથી હળવો થયો હોય તેમ ઉભું થઈ, અભુઠ્ઠિઓ પાઠ પૂર્વક ગુરુમહારાજને અપરાધ ખમાવવા દ્વાદશાવત વંદન કરી અવગ્રહમાંથી બહાર નીકળી આયરિય ઉવઝાય બેલી સર્વેને ખમાવી શાંત થાય. (૫) કાઉસ્સગ – ચારિત્રાચાર માટે બે લેગસ્ટ, દર્શનચાર માટે એક લોગસ્સ સત્રલેએ અરિહંતપૂર્વક, અને પુખવરદી સૂત્ર બેલી જ્ઞાનાચાર માટે એક લેગસ્સ કાઉસ્સગ કરી, ત્રણેની વિશુદ્ધિ કરે. પછી મૃતદેવતા-ક્ષેત્ર દેવતા આરાધના માટે એક એક નવકારને કાઉસ્સગ્ન કરે. (૬) પચ્ચખાણ :– નવકાર ગણી મુહપત્તિ પડીલેહી વાંદણ દઈ અવગ્રહમાંજ સામાયિક ચઉવિસFબેલી છ આવશ્યક પૂરા કરી પરફખાણ કરે અથવા સંભારે............. આ રીતે તમે પણ પ્રતિક્રમણ દ્વારા છ આવશ્યકમાં ઉધામવંત રહે. એ જ અભ્યર્થના
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy