SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ અભિનવ ઉપદેશ પ્રાસાદ તે. જેમ અણસાહેબ પટવર્ધને શું પ્રતિક્રમણ કર્યું? પાન જ છેડી દીધાં. તેમ ઈરિયાવહીમાં ઈચ્છાપૂર્વકનું પ્રતિક્રમણ તે મિચ્છામિ દુકકડમ કરવું તે. માત્ર મિચ્છામિ દુક્કડમ જ નહીં પણ ફરીથી તેમ ન થાય તે પ્રયત્ન કરે. આવશ્યક નિર્યુક્તિમાં મિચ્છામિ દુક્કડમનો અર્થ જણાવતા ચૌદ પૂર્વધર ભદ્રબાહુવામીજી જણાવે છે કે मित्ति मिउमद्दवत्त छेत्ति उदोसाण छायणे होति 0 fમ – માર્દવતાને અર્થ જણાવે છે. ૦ છે – અસંયમાદિ દોષના છાદનને નિર્દેશક છે. o fમ – ચારિત્રની મર્યાદામાં છું તે ભાવ સૂચવે છે. ૦ ટુ – દુષ્કૃત આત્માને હું નિંદુ છું એ અર્થ છે. ૦ ૧ () – મેં પાપ કર્યું છે એવા દોષને પ્રગટ કરે છે. ૦૩ – તે પાપને ઉપશમ વડે બાળી નાખું છું. “fમ છાનિસુવાડ” સમગ્ર પદને અર્થ એ કરી શકાય– હું વિનમ્ર-મૃદુ થઈને, અસંયમાદિ દોષોનું છાદન કરતે, ચારિત્રની મર્યાદામાં રહેલે, દુકૃત કર્તા એવા મારા આત્માને નિંદું છું– તે પાપ મેં કર્યું છે એ એકરાર કરું છું અને દુષ્કૃતને ઉપશમ વડે બાળી નાખું છું (કષાયને ઉપશમ વડે તેનું ઉમૂલન કરુ છું.) મનમાં આવા પ્રકારને ભાવ લાવીને પ્રતિક્રમણ કરવાનું છે, મિચ્છામિ દુકકડમ એ પ્રતિકમણના બીજરૂપ મંત્ર છે. પુનઃ પુન: મનનીય છે. કેઈપણ જીવને અપરાધ ખમાવાને ભાવ છે. શાસ્ત્રકાર મહર્ષિ ઈરિયાવહી પ્રતિકમણના ૧૮ લાખ, ૨૪ હજાર, ૧૨૦ ભાંગા જણાવે છે. કેવી રીતે તે સમજી રાખો. ૦ જીવના ભેદ કેટલા? ૫૬૩ વિરાધનાના પ્રકાર કેટલા? અભિયાદિ ૧૦ ૦ રાગથી દ્વેષથી થાય તે-ર 0 કાળ કેટલા ? ભૂત - વર્તમાન–ભાવિ. ૩. ૦ યોગ કેટલા ? મન-વચન-કાયાને વેગ-૩ ૦ કરવું–કરાવવું–અનુમોદવું રૂપ ૩ ૦ સાક્ષી કેટલી? છ–અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરૂ, આત્મા.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy