SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) પ્રતિક્રમણ——ઈરિયાવહી - રે ભાઈ ! તું ચાલતા શીખ प्रति प्रति वर्तनंवा शुभेषु योगेषु मोक्षफलेषु निःशल्यस्य यतेर्यत् तद्वा ज्ञेयं प्रतिक्रमणम् (પાપ કર્મોની નિ'દા, ગાઁ, આલેાચના કરીને) નિ:શલ્ય થયેલા એવા યતિનુ' મેાક્ષફળ આપનાર શુભ યાગેને વિશે પુનઃ પુનઃ પ્રવ્રુત્ત થવું તે જ પ્રતિક્રમણ જાણવુ. મેાક્ષને માટે યત્ન કરે તે તિ. આવા તિ પાપકર્માની નિંઢા, ગર્હ, અને આલેચના કરીને નિ:શલ્ય થાય. આચારાંગ સૂત્રમાં જણાવે છે કે હિંસાદ્ધિ મહાદોષના આચરણ વડે પૂર્વે ઉત્પન્ન થયેલાં તથા નિ‘દા–ગર્હ અને આલેાચના રૂપ પ્રતિક્રમણ કર્યા વિના રહી ગએલા પાપકર્મોના ફળે. ભાગગ્યા પછી જ મુક્તિ મળે છે. પણ ભાગવ્યા વિના મુક્તિ મળતી નથી. માટે પુનઃ પુનઃ પ્રવૃત્ત થઈ પ્રતિક્રમણ કરવાનું જણાવ્યું'. લેાકમાં કહેવાય છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આ જ વાતમાં શાસ્ત્રકાર શું કહે છે ? છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર. કર્માંના આવરણ નીચે રહેલા આત્માની ભૂલ થાય તેમાં કાઈ આશ્ચય નથી. ચાર જ્ઞાનના ધારક, અને'ત લબ્ધિ નિધાન ગૌતમ સ્વામીને પશુ આનંદ શ્રાવકના પ્રશ્નને સ્ખલના થઈ. પણ આ ભૂલરૂપી વિષને મારવાના વિધિ શે। હાઇ શકે તે વિચારી તા માત્ર એક ઉત્તર તમને મલશે. એકજ ઉત્તર-પ્રતિક્રમણ, અમદાવાદને વસાવનાર અહમદશાહના જમાઇએ એક નિર્દોષ માનવીનું ધાળે દિવસે ખૂન કર્યું. તેના મનમાં ગવ હતા કે હુ તા બાદશાહના જમાઈ છુ. ગમે તેમ વતુ તે પણ મને પૂછનાર કોણ ? કાઝી સમક્ષ ફરિયાદ આવી. બાદશાહના જમાઈ ગુનેગાર ઠર્યાં. કાઝીએ બાદશાહના જમાઈને મોતની સજા ફટકારી. ફૈસલા માટે કાગળીયા પર સહી કરવા બાદશાહને મોકલાયા. બાદશાહે કાગળીયા વાંચ્યા સહા કરી, કેમકે તેને મન સગપણ કરતાં ન્યાય વધુ મહત્વના હતા.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy