SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) વદનના પ્રકાર – વંદના પાપ નિકંદના नाणाईआ उ गुणा तस्संपन्न पडिवत्ति करणाओ वंदणएण विहिणा कीरइ सोही उ तेसिंतु ચઉશરણ પન્નાના શ્લેક ચેથામાં વંદન આવશ્યક વિશે જણાવતાં કહ્યું કે જ્ઞાનાદિ (જ્ઞાન-દર્શનચારિત્ર) જે ગુણ છે. તેનાથી સંપન્ન (ગુરુની) પ્રતિપત્તિ કરવાથી (અને) વિધિપૂર્વક વંદન (કરવા) વડે તે તે ગુણોની શુદ્ધિ કરાય છે. મનહ જિણાણું સઝાયમાં કહ્યું કે – ઇવી આવશ્વયમી ૩ો ટ્રોફ પરિવર્સ શ્રાવકે છે આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત રહેવું જોઈએ. આ છે આવશ્યકમાંનું ત્રીજું આવશ્યક તે વંદન. કે જે વંદન વડે જ્ઞાનાદિ ગુણેની શુદ્ધિ થાય છે. પણ વંદન એટલે શું? જ વંદનને સ્પષ્ટ કરવા માટે શ્રીમાન દેવેન્દ્ર સૂરિજી મહારાજા ગુરુવંદન ભાષ્યની દશમી ગાથામાં પાંચ નામે જણાવે છે. પ્રવચન સારો દ્વાર ગ્રન્થમાં ૧૧૭મી ગાથામાં પણ એ પાંચ ભેદને ઉલ્લેખ કરતા લખ્યું કેवंदण चिह किइ कम्मं पूआकम्मं च विणयकम्मं च वंदणगस्स ए ए नामाई हवंति पंचेव વંદન કર્મ, ચિતિકમ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ એ ગુરુ વંદનને પાંચ નામે અથવા પર્યાય છે. આ પાંચે પર્યાય દ્વારા વંદનના અર્થને સ્પષ્ટ કરવા માટે એક એક કથા પ્રસંગ વણી લેવાયો છે. (૧) વંદન કમ – પ્રશસ્તિ મન, વચન, કાયા વડે સ્તવના કરાય તે રંગ ફર્મ શીતલાચાર્ય નામે એક જૈનાચાર્ય થઈ ગયો. તેને શૃંગાર મંજરી નામે એક બહેન હતી. તે બહેનને ચાર પુત્ર હતા. તે ચારે પુત્રએ પિતાની માતાની શીક્ષાથી કેઈ સ્થવર પાસે દીક્ષા ગ્રહણ કરી. એક વખત ગુર્વાજ્ઞા લઈ પિતાના મામા (શીતલાચાર્ય) ને વંદન કરવા નીકળ્યા. નગર પાસે પહોંચ્યાં ત્યાં જ સંધ્યા થઈ ગઈ એટલે પોતે
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy