SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ખમા ગુરુ રાયને ૨૦૫ રાજની સુખ શાતા પૃચ્છા પણ વેશના બહુમાન પૂર્વક જ કરે. ઈચ્છકાર-હે ભગવન આપની ઈચ્છા હોય તે પૂછું. સુરારું સુહ લેવી આપની રાત્રી કે દિવસ સુખ પૂર્વક પસાર થયો? સુલતા તપ સુખે કરીને થયો ? શરીર નિ વાઘ શરીર તે પીડા રહીત છે ને? પછી પૂછે સુહ સંગમ યાત્રા નિર્વહકોની આપ સંયમ યાત્રાને નિર્વાહ તે સુખપૂર્વક કરી શકે છે ને ? પછી ભાત-પાણીને લાભ દેજોજી એમ કહે. ભાતને મૂળ પ્રાકૃત શબ્દ મત્ત છે. મત્ત એટલે રાંધેલુ અનાજ. કેટલી સરસ રચના કરી છેસૂત્રની સુંદર સંબંધન- જે આપની ઈચ્છા હોય તે પૂછું. પૂછવાનું પણ શું ? વ્યતીત થયેલા રાત્રી-દિવસ સુખપૂર્વક પસાર થયો? જે સુખપૂર્વક પસાર ન થયેલ હોય તે શ્રાવકે સમજીને ભૌતિકાદિ સુવીધા કરવી જોઈએ. બીજો પ્રશ્ન-સુખતપ-સંજોગ અનુકૂળ હોય તે તપ સુખપૂર્વક થયેને– ત્રીજો પ્રશ્ન- શરીર બાધા રહિત છે. જે બાધા રહિત ન હોય તે”-શ્રાદ્ધ વિધિ પ્રકરણ-દિનકૃત્ય પ્રકાશમાં જણાવે કે જે ગુરુ મહારાજને કંઈ વ્યાધિ હોયતે ઔષધાદિનું પ્રયોજન નથીને? આહાર વિષયક પથ્યાદિની જરૂર તે નથીને? તે પૂછે-વિચારે અને વ્યવસ્થા કરે. સૌથી મહત્વને પ્રશ્નાર્ સુખ સંયમ યાત્રા નિવહેછેજી રેજ આ પ્રશ્ન દ્વારા બે વસ્તુ સૂચવે છે (૧) હું આપની સંયમ યાત્રા સુખે કરીને વહી શકાય તે માટે શું લાભ લઈ શકું તેમ છું. (૨) ગુરુ મહારાજને પણ ધ્યેયમાં નિશ્ચલતા રહે કે મારે સંયમ યાત્રા જ કરવાની છે. આ બંને અર્થનું ગ્રહણ ચોમાસામાં ફૂટી નીકબેલા અળસીયા જેવા અને વાતમાં વાતમાં એ ખેંચવાની બુમો પાડનારે ખાસ કરવા જેવું છે. છેલે કહે ભાત પાણીને લાભ દેજે છે. શ્રીમાન રશેખર સૂરિજી શ્રાદ્ધ દિનકૃત્યમાં જણાવેકે ગુરુ મહારાજ પધારે કેન પધારે પણ શ્રાવકે જિરણશેઠની માફક જ ભાવના ભાવતા કહેવું જોઈએ. આપશ્રીને
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy