SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અભિનવ ઉપદેશ પ્રસાદ સમાધાન : નિશ્ચયથી આ વાત સત્ય છે અને નમે અરિહતાણું બોલતા બધા જ તીથ કરે નમસ્કાર પણ થઈ જાય છે. છતો નામ નક્ષેપ ધારણ અનુસાર પ્રત્યેક ઘર માં માના નામે ચારણ પૂર્વક સ્મરણ કરવાથી જે કલાસ કે નાવતા પ્રગટ થાય છે, તે દ્વારા ગાઢ કર્મોની નિજ રા થાય છે. પણ નામ ગ્રહણ સાથે વાગ્ય વ્યક્તિનું અથવા તેના ગુણોનું સ્વરૂપ માનસપટ પર પ્રગટ થવું જોઈએ, અને નામી ની ઉપસ્થિતિ અનુભવાવી જોઈએ, પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટકામાં પણ આ વાતને સ્પષ્ટ કરતા લખ્યું છે કે નામ મરણને આ પ્રભાવ ત્યારે જ અનુભવાય કે જ્યારે અર્થના ઉપગ અને ગુણાનુરાગ પૂર્વક નામ સ્મરણ થાય. ઉપગ કે ભાવ વગર કરાએલ પરમાત્માનું નામ સ્મરણ સફળ તો નથી જતું પણ અભીષ્ટ ફળ પણ નથી આવતું. એક વખત બુદ્ધ અને તેના શિષ્યો એક નગરમાં આવ્યા. તેમની જાણ થતાં મધ નગરજને તેના ઉપદેશ સાંભળવા આવ્યા. પદેશ પુરો થયા બાદ બધા નગરમાં પાછા ફર્યા પણ એક નગરજન હજી ત્યાં ને ત્યાંજ બેસી રહ્યા હતા બુદ્ધ પૂછયું, ભાઈ ! તું કેમ હજી બેઠે છે? પેલે નગજન કહે એક પ્રશ્ન છે મારે. જીવન “મુક્તિની સંપ્રાપ્તિ માટે સાધનાને સારો પ્રકાર કર્યો ?” બુદ્ધ કહે તે માટે જીવનમાં નિર્દોષતા આણે, ઔઢાર્ય ભાવના કેળવે, સૌ જે પ્રત્યે સમભાવ ધારણ કરે, સત્યના ઉપાસક બને. સાધક હસવા લાગ્યો. પ્રભો ! આપે આમાં મને નવીન શું કહ્યું? એક નાનું બાળક પણ આ વાત સારી રીતે જાણે છે. બુદ્ધ કહે તારી વાત તે સત્ય છે. પણ ઠરેલ અને અનુભવી માણસે પણ તેનું આચરણ કરતાં નથી. જાણવું કે માનવું એ પર્યાપ્ત નથી પણ તે મુજબ આચરણ કરવું જોઈએ. એટલે જ પ્રભુની સ્તુતિમાં બોલાય છે. સુયા હશે પૂજ્યા હશે નીરખ્યા હશે પણ કે ક્ષણે હું જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહી ભક્તિ પણે જ પ્રભુ તે કારણે દુખ પાત્ર આ સંસારમાં આ ભક્તિ પણ ફળતી નથી જ ભાવ શુન્યાચારમાં
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy