SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક સાધુ સરીખ થાયે. ૧૬૭ - - બાકીની ૧૨ સ્ત્રીએ એકએક ગોકુળ અને ૧ કરોડ સુવર્ણની માલિક હતી. રેવતી પોતાની સપત્ની પર અત્યંત દ્વેષ ધરાવતી હતી. બધાની સંપત્તિ હડપ કરવા તથા ભેગ વિલાસમાં કોઈ આડે ન આવે માટે તેણે બારે શોને ઝેર દઈને મારી નાખેલી. પછી તેણી દારૂ-માંસ પણ સેવન કરવા લાગી. મહાશતક શેઠ પિતે અનેક કુળને અને કરે સુવર્ણ માલિક હિતે. પણ શ્રી વીર પ્રભુની દેશના સાંભળી પ્રતિબોધ પામ્યા. બાર વ્રત અંગીકાર કર્યા અને ૧૪ વર્ષ ધર્મારાધના કરી પછી ઉપાસક પ્રતીમાને વહન કરતા એવા તેને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયેલું. એક વખત મહાશતક શ્રાવક પિતાની પૌષધ શાળામાં હતા. ત્યારે રેવતીને વિષય વાસનાને ઉદય જાગ્યો. પોતાના કામ જવરને તીવ્ર બનાવવા માટે તરતનું જન્મેલું બાળક મંગાવ્યું. તે બાળકને મારી નાખી તેને માંસને સંસ્કારીને માંસ ભક્ષણ કર્યું. તેના ઉપર દારૂ પીધે. પરિણામ એ આવ્યું કે તેની મહાવાસના અગ્નીની જવાળાઓ જેવી ભડકી ઉઠી. પછી પોતાના સ્વામી મહાશતક પાસે આવીને વાસના સંતોષવા માગણી કરી. કામ શતક શ્રાવકે તે કંઈ જવાબ ન આપે. પિતાના પતિની પણ વાસના ભડકે તે માટે પિતાને કેશપાશ છોટે મુકો. પછી પોતાના સ્તન, સાથળ, ઉદર, જઘન, દાંત વગેરે અંગ-ઉપાંગોને દર્શાવતી નિર્લજજ પણે અને કામ ક્રીડાતુર થઈ માંગણી કરવા લાગી. હે સ્વામી નાથ! આ પૌષધ છોડીને મારી સાથે કામસુખ ભેગ. તેની વધતી જતી નિજતા જોઈ કામ શતક શ્રેષ્ઠી બોલ્યા, રે! પાપીણી દૂર ભાગ અહીંથી. આજથી સાતમે દિવસે મૃત્યુ પામીને પહેલી નારકીમાં ૮૪૦૦૦ વર્ષના આઉખે ઉત્પન્ન થઈશ. આવા કઠેર વચન સાંભળી વિલખી પડેલી એવી રેવતી પિતાના આવાસમાં આવીને સાતમે દિવસે મૃત્યુ પામી. આ વચન સત્ય હતું, છતાં અતિ કઠેર હતું. પ્રભુએ તેનું પ્રાયશ્ચિત આપ્યું. સત્ય છતાં આવી કડવી અને કઠોર ભાષાને ઉપયોગ ન
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy