SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ આ ઉપરાંત શ્રાવકના બાર વ્રતનું વર્ણન આવે છે, તેમાં પણ ચાર શિક્ષાવ્રતમાંનું પ્રથમ શિક્ષાવ્રત તે સામાયિક વ્રત છે. વળી અમુક કાલ મર્યાદા માટે સાવદ્ય ગના ત્યાગની પ્રતીજ્ઞા હોવાથી તેને નિયમ પણ કહેવાય છે. પ્રશ્ન - સામાઘ વય પુરો માં મળે શબ્દ કેમ કહ્યો? રેમિ બન્ને માં તે સામાયિકની પ્રતીજ્ઞામાં મનવચન કાયા ત્રણે જેડી દીધા છે. છતાં અહીં મનોગની પ્રધાનતા દર્શાવવા મને શબ્દ મુકો. મન-વચન-કાયા ત્રણેનું જોડાણ સામાયિક કર્તા માટે અતિ મહત્વનું છે. છતાં વાણીના મૌન પૂર્વક એક સ્થાને બેઠેલે કાયા સ્થિર કરી શકે છે, પણ સાથે મનનું જોડાણ જરૂરી છે, કેમ કે મન ભાવેનું વહન કરે છે. અને ભાવેનું ક્ષેત્ર અતિ વિશાળ અને અપરિમિત છે. તેમાં પણ ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક જુગુપ્સા વગેરે અપ્રશસ્ત ભાવને મન ઝીલે નહીં તે તે સામાયિકના નિયમથી યુક્ત ગણવે. પણ શુભ ધ્યાનમાં રહે છે તે ઉત્તમ ગણાય. સંક્ષેપમાં કહીએ તે સામાયિક વારંવાર કરવાનું કહ્યું તેનું કારણ એ કે (૧) fછનરૂ કુટું મં–અશુભ કર્મો નાશ કરે છે. (૨) કમળો ફુવ સાવકો દ્રો શ્રાવક શ્રમણના જે થાય છે. આ બને લાભ સારી રીતે પ્રાપ્ત કરવા માટે સમાયિક પારવાના સૂત્રમાં બત્રીસ દોષને ટાળવાનું કહ્યું. બાળકના એક આદર્શ શિક્ષક થઈ ગયા. ગિજુભાઈ બધેકા. તેઓ એક દિવસ વર્ગમાં શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા. દરેક વિદ્યાથી હાથમાં પાઠયપુસ્તક લઈ વાંચવામાં તલ્લીન થઈ ગયા હતા. પણ એક વિદ્યાર્થી છેલ્લી હરોળમાં બેઠા હતા તે બાજુના વિદ્યાર્થીના પાઠયપુસ્તકમાં નજર ફેરવી રહ્યો હતે. ગિજુભાઈ એકદમ ગુસ્સે થઈ ગયા, તે બાળકને ધમકાવીને પૂછયું, કેમ ! તારી પાસે પુસ્તક નથી ? શું હજી ખરીદ્યુ નથી ? બીજાના પુસ્તકમાં શું જોઈ રહ્યો છે ? આ પેલે વિદ્યાર્થી તો ગભરાઈ ગયે, એકદમ રડતા રડતા માંડ માંડ એટલું બેલી શકો કે સાહેબ મારા વાલી પુસ્તક ખરીદી શકે તેમ નથી. અમે ગરીબ છીએ સાહેબ.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy