SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ અભિનવ ઉપદેશ પ્રાસાદ પાંડવેએ સ્તુતિ-વંદના કર્યા તે યશ નામ કમને ઉદય અને કૌરવોએ ઉપસર્ગ–નીંદા કર્યા તે અપયશ નામકર્મને ઉદય. એ રીતે રાગ-દ્વેષ પર કાબુ પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામી મેક્ષે પહોંચ્યા. શ્રાવકોએ પણ આ રીતે છવોટું શ્રાવક્ષયમિ માં સામાયિક નામક કર્તવ્યનું પાલન કરતાં સમભાવની સાધના કરવી જોઈએ. (૨) સમયિક – સમયિક એટલે જગતના સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિ કેળવવી. સર્વ જીવો પ્રત્યે સમભાવ ઉત્પન્ન થયા પછી સામવત, સર્વ ભૂતેષુ ઉક્તિ અનુસાર સર્વ પશુ-પક્ષી અને પ્રાણીઓને આત્મ (પિતા) સમાન ગણવાની બુદ્ધિ હેવી લામેમિ સવ ની ગાથામાં જણાવેલ નિતિ નવ મુકું પદ મુજબ મૈત્રીની વાત સાક્ષાત્ થવી. सर्वत्र मैत्रीमुपकल्पयात्म _श्चित्यो जगत्यत्र न कोऽपि शत्रुः कियदिन स्थायिनि जीवितेऽस्मिन कि खिद्यसे वैरिधिया परस्मिन હે આત્મન તું સર્વત્ર મૈત્રી કલ્પી લે. આ જગતમાં તારે કઈ શત્રુ છે એમ ચિંતવીશ નહીં. અહીં કેટલા દિવસ બેસી રહેવાને છે કે નાહક બીજા ઉપર વેર રાખીને ખેદ પામે છે. શાંત સુધારસ ગ્રન્થમાં આ વાત વિનય વિજયજી મહારાજે ફરમાવી. એ જ વાતને પડઘા પુન્ય પ્રકાશના સ્તવનમાં પણ સંભળાય છે. સર્વ મિત્ર કરી ચિતવે સાહેલડી રે કેઈ ન જાણે શત્રુ તે (સાહેલડી રે) રાગ દ્વેષ એમ પરિહરી સાહેલડી રે કીજે જન્મ પવિત્ર તો (સાહેલડી ) સંક્ષેપમાં કહીએ તે સર્વને મિત્ર જેવા માની બધા જ પ્રત્યે સમદષ્ટિ કેળવી અને સમભાવની સાધના સફળ બનાવવી એ સામયિક સામાયિક તારજ મુનિનું દષ્ટાંત આ ભેદને સમજવા જણાવાયેલ છે. રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજા માટે એક સોની રજ ૧૦૮ સોનાના જવ ઘડે. શ્રેણિક મહારાજના જમાઈ કે જે મેતાર્યમુનિ નામે વિચરી રહ્યા હતા તે માસક્ષમણને પારણે સોનીના ઘેર પધાર્યા. સેની
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy