SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા સમભાવથી ત્યાગ સુધી ૧૨૫ બાવલાની અનાવરણ વિધિને પ્રસંગ આવ્યું. સૌ સાથે મળીને એક અવાજે નકકી કરી બેલ્યા કે બાવલાના સર્જક સ્ટેરીને હાથે જ અનાવરણ વિધિ રાખવી. ઉદઘાટન દિવસ પણ આવી ગયો. લોકેની ભીડ જામી નિર્ધારિત સમયે સ્ટરી પણ ત્યાં આવી ગયો. પડદો ઊંચકર્યો. બાવલાનું ઉદ્દઘાટન થયું ને વણ લખાયેલા શીરસ્તા મુજબ કેએ તાળીઓના ગળગળાટ સાથે ઉદ્દઘાટકને પ્રવચન કરવાને આગ્રહ કર્યો. આવી પરંપરા આજ સુધી જળવાયેલી જ હોવાથી લોકેએ માન્યું કે સ્ટેરી પણ એક સુંદર પ્રવચન આપશે. સ્ટોરી તૈયાર કરેલા મંચ ઉપર આવ્યો. લોકેની સામે જોયું. પિતાના બંને હાથ જોડયા. એટલું જ કહ્યું કે આપ સૌ જે આ બાવલું જોઈ રહ્યા છે તે જ મારું ઉદ્દઘાટન પ્રવચન છે. પછી બેસી ગયે. લોકેને પણ થયું કે ખરેખર કલાકારની કૃતિ એ જ તેનું પ્રવચન છે. એ રીતે આવશ્યક અર્થ જ અવશ્ય કરવા યોગ્ય કરણી. તેની આચરણું જ હોય, વ્યાખ્યાને નહીં. પૂર્વ પુરુષે એ પણ પ્રથમ તે સુંદર આચરણ કરી બતાવેલ છે. ત્યાર પછી જ આવશ્યક સૂત્ર પર ટીકા વગેરે રચેલા છે. એટલે સમભાવથી ત્યાગ સુધીની યાત્રા કરતાં શ્રાવકોએ સવા વાળા એ સૂત્રને જ મહત્વ આપવું જોઈએ. જેથી બે-ચાર માણસે તેના પ્રતિકમણુ કે વંદનાદિ ક્રિયા જેઈને પણ બંધ પામનારા બને. (ઉભયકાલ) આવશયકના અર્થની સુંદર સ્પષ્ટતા માટે પ્રતિકમણમાં સમાવાતા જી આવશયકની દષ્ટિએ જ વિચારે તે પણ પુરતું છે, ચઉશરણ પાનામાં છ એ આવશ્યક અંગે ગુંથેલા કલેકમાં ક્રમશ: એક એકની વિચારણા લઈએ તે - (૧) સામાયિક – સપાપ પ્રવૃત્તિને ત્યાગ અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્ર ગુણની વિશુદ્ધિ થાય છે. પ્રતિક્રમણ કરતી વેળાએ પ્રતિક્રમણ સ્થાપના બાદ જે ન મરે સૂત્ર ને પાઠ બેલીએ છીએ તે સામાયિક આવશ્યક છે. સર્વ ક્રિયાનું મૂળ સામાયિક છે. સમતા કેળવાયા બાદ બીજા આવશ્યકની વિધિ આગળ ચાલે છે.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy