SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ વિનય ભાવ છે, પ્રતિક્રમણમાં ખલિત આત્માની નિંદા છે, કાત્સર્ગ એ ભાવઘણની ચિકિત્સા રૂપ છે અને પ્રત્યાખ્યાન નાનાવિધ સંયમની ગુણ ધારણા છે. આ રીતે છ એ આવશ્યક દ્વારા જીવને સમભાવથી ત્યાગ સુધીની યાત્રા પરિપૂર્ણ થાય છે. જીવને શિવ બનવા માગે ખુલે છે. પ્રશ્નને – પ્રારંભના શ્લોકમાં સંતો નિરણ કર્યું. તે શબ્દ તે પ્રતિક્રમણને લાગુ પડે છે, છતાં અહીં માવા તરીકે કેમ ઘટાડે છે. સમાધાન - સાવચ માં આવશ્યકની આરાધના અલગઅલગ દર્શાવેલ છે. જ્યારે પ્રતિક્રમણમાં છ એ આવશ્યકની ક્રમશ: વિધિ દર્શાવેલ હોવાથી ઉભયકાલ (દિન-રાત્રિ) આવશ્યક કરવું તેમ કહેવાથી પ્રતિક્રમણની વાત છે તેવું લાગે. તત્ત્વથી તે છ એ આવશ્યક એકબીજામાં સમાઈ જાય છે. વળી આવશ્યકના વિભાગે અલગ અલગ કરી કેઈએમ કહે કે મેં સવારે સામાયિક કરેલ છે તે સામાયિક દંડક ઉચ્ચર્યા વિના પ્રતિક્રમણ કરૂં તે ચાલે કે નહીં? તે તે ન ચાલે. કેમ કે તે રીતે કરવાથી વિધિને લેપ થાય છે. તદુપરાંત આ પ્રશ્ન કેઈ પ્રતિક્રમણ માટે પણ કરી શકશે કે પ્રતિકમણમાં જે છ આવશયકની ગણતરી કરાય છે તેમાં પ્રતિક્રમણ આવશ્યક તે માત્ર રૂછા. સરિ. રેવનાં ચાનો વખતે શરૂ થાય છે. તે પછી પ્રતિકમણુમાં વળી પ્રતિક્રમણ એ પેટાલે કયાંથી લાવ્યા? એટલે આવી શાબ્દિક કસરત ન કરતાં તમે માત્ર છ વોટું ગાવસાદિક ૩ ગુ ફ પરિવર્સ–પ્રતિદિન છ આવશ્યકમાં ઉદ્યમવંત રહેવું એટલા કર્તવ્યને લક્ષમાં લેશો તે જ કલ્યાણકારી બનશે. લંડનમાં જ પિડી નામક એક વ્યક્તિનું બાવલું છે. તે બાવલાના શિલ્પકારનું નામ છે સ્ટોરી. સ્ટોરીની ગણના ઈગ્લેન્ડના ખ્યાતનામ શિલ્પીઓમાં થાય છે. તેણે રાત-દિવસ જોયા વિના ભૂખતરસ વેઠીને આ બાવલાનું સર્જન કરેલું હતું. આ બાવલાને તેણે ઘડતાં ઘડતાં પિતાની સારીયે જાત નીચોવી નાખેલી. તેની સર્જનકલાથી સૌ પ્રભાવીત થયા.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy