SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ અભિનવ ઉપદેશ પ્રાસાદ શ્રેણિક રાજા સમક્તિ પામે ગુરૂ અનાથી મુનિરાય પ્રાણુ તુ સત્સંગનો રસ ચાખ શ્રદ્ધા આત્મ પરિણામ રૂ૫ છે. શ્રદ્ધા એટલે “સન્માર્ગ પ્રત્યેની રુચિ” તેજ આપણું અમૂલ્ય ધન છે, કે જે ધન કદી નાશ પામનાર નથી. પ્રશ્ન :- આપ (સમ્યગ) દર્શન અને શ્રદ્ધા બંનેને પર્યાય જેવા કેમ ગણે છે. ? એકજ કારણ છે. દર્શનને સામાન્ય અર્થ છે જોવું. શ્રદ્ધા એ પણ આત્માની આખે છે. જે આ અતીન્દ્રિય આધ્યાત્મિક વસ્તુઓનું આકલન કરે છે માટે જ દર્શન અને શ્રદ્ધા બંને શબ્દોને પર્યાય જેવા ગણને સમ્યકત્વની ઓળખ અપાય છે. સમ્યકત્વના જુદા જુદા ભેદોનું વર્ણન કરતાં દશ પ્રકારની રૂચિનું વર્ણન આવે છે. તેમાં પણ શાસ્ત્રકારે આજ વાતને આગળ ધરે છે. જેમકે – બીજરુચિ-સમ્યકત્વ. જેમ બીજને ખેતરમાં વાવીએ તે અનેક બીજે તેમાંથી ફળે છે. તેમ જીવ-અજીવ વગેરે તને કોઈ એક પદકે હેતુ કે દષ્ટાન્તના દર્શન માત્રથી અનેક પદે, હેતુ કે દષ્ટાતે પર જીવને શ્રદ્ધા ઉત્પન્ન થવી તેને બીજરુચિ–સમ્યકત્વ ગણ્યું છે. ચર્મચક્ષુથી તે દર્શન કર્યું માત્ર એકજ પદ કે હેતુનું પણ આત્માની આંખે એટલે કે શ્રદ્ધાએ અનેક પદ કે હેતુને સ્વીકારી લીધાં. આ વાત તમને સહેલાઈથી સમજાશે નહીં કેમકે બીજરૂચિ સમ્યકત્વ હોય ત્યારે જ સમજાય તે વિષય છે. જેમ પેલે મજનુ, લયલાના વિરહનાં તાપમાં રખડી રહ્યો છે, ભટકી રહ્યો છે, કલ્પાંત કરે છે, ચીસો પાડે છે. આવી દિવાનગી જોઈને ગામને રાજા તેને બેલાવે છે. રાજા કહે અરે બેવકુફ આદમી ! તારી લયલા તે એક સામાન્ય સ્ત્રી છે. ચાલ મારા અંતઃપુરમાં તને એકથી એક ચઢીયાતી સુંદરી દેખાડું. રાજાએ ૧૨ સુંદરીઓને અંતઃપુરમાંથી બેલાવી મજનુને કહ્યું કરીલે પસંદ આમાંથી ગમે તે એકને, લયલા પાછળ ખુવાર થવાનું રહેવા દે અને તું તારી જીંદગીને સુખી બનાવ. મજનુ કહે નહીં રાજા સાહેબ નહીં. આમાંથી એક પણ સુંદરી મારી લયલાની તોલે આવી શકે તેમ નથી. રાજા તાડુકી ઉઠયો આ .
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy