SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ એક તરફથી ચંડપ્રોત અને બીજી તરફથી મૃગાવતી આવી. ભગવાન નને હાથ જોડીને કહ્યું હે પ્રભો ! અગર ચંડપ્રોત રાજા રજા આપે તે હું દીક્ષા લઉં. ચંડપ્રોત રાજા સડક થઈ ગયે. ચૌદ મુગટબદ્ધ રાજાના ધણીને એક વિધવાબે બદામની બાયડી બનાવી ગઈ. એક તે પ્રપંચ, છેતરપીંડી અને પાછું જાહેરમાં નાક કાપી ગઈ. કેવું અપમાન થયું હશે. અંતકરણ વિકારોથી ભર્યું છે. રૂ૫ના મેહમાં અંધ બનીને બધું કરેલું, છતાં સાળી તે ગઈ ને માથે છેક વળગાડતી ગઈ. છતાં ખુશીથી દીક્ષા લે- મારી રજા છે એવા શબ્દો કઈ રીતે નીકળ્યા હશે ? અધમતાની પરાકાષ્ઠાએ બેઠો છે. છતાં દેવ-ગુરુ-ધર્મની શરમ કેટલી નડી કે રજા આપી દીધી. એટલું જ નહીં ચંડપ્રદ્યોતની બીજી આઠ રાણી ઉભી થઈ ગઈ. અમને પણ માલિકની રજા હોય તે પ્રત્યે અમે દીક્ષા લઈએ. લડાઈઓ કરી કરીને માંડ મેળવેલી આઠઆઠ એક સાથે જાય છે. તે પણ ચંડપ્રદ્યોત શું છે ? દીક્ષા લેવી હોય તે મારી રજા છે. કેટલો આદર-કેટલું બહુમાન-કેટલી શ્રદ્ધા હશે જિનશાસનની ? મૃગાવતીની પણ શ્રદ્ધા કેટલી કે ખુદ અરિહંત પરમાત્મા પધાર્યા. પેલે છત્રી લઈને આવેલું બાળક પણ બેલ્યો તમે બધાં મારી મશ્કરી કરી છે. પણ જે જે મારી શ્રદ્ધા-વરસાદ જરૂર આવશે. કહેવાય છે કે યજ્ઞ ચાલ્યા-પ્રાર્થના થઈ, ધુને બોલાઈ ત્યારે હજારે અશ્રદ્ધાલુની નહીં પણ એક બાળકની શ્રદ્ધા ખાતર વરસાદ વરસ્ય. બાળક છબછબીયા કરતે ચાલ્યો. આજ શ્રદ્ધા નથી, આસ્થા નથી, સમ્યફદર્શન નથી પછી જ્ઞાન, ચારિત્ર, તપની વાતોનો શું અર્થ છે? શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે શ્રાવકને બાર વ્રતને આશ્રીને ૧૩ અબજ ૮૪ કરોડ ૧૨ લાખ ૮૭૨૦૨ ભાંગ છે. પણ સમ્યકત્વ વગરનો આમાંને એક પણ ભાંગે ટકી શકો નથી. માટે હે શ્રાવક તું પ્રથમ સમ્યકત્વને ધારણ કર. જે કાયમી સુખી થવું હોય તે ઘટ્ટ સત્ત સમ્યકત્વના પ્રકાર :- સમ્યકત્વ નીચેના પ્રકારથી સમજવું. (૧) ઔપશમિક - મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy