________________ પુત્રપ્રસાદી ચોમાસું બેસી ગયું છે. આપણે ત્યાં ચોમાસું કરવા મહારાજસાહેબ પધારી ગયા છે તો ગયા વરસે આપણે ત્યાં ચોમાસું બિરાજમાન હતા તે મહારાજસાહેબ બીજા ક્ષેત્રમાં પધારી ચૂક્યાં છે. એ મહારાજસાહેબને આઠ મહિનામાં એકાદ પત્ર લખવો જોઈતો હતો. આપણી એ ફરજ હતી. વિહારની સુખશાતા પૂછતો પત્ર લખીને આપણે મહારાજસાહેબની ભાવભક્તિ કરી શકવાના હતા તે ચૂકી ગયા છીએ. જો કે હજી બગડ્યું નથી. મહારાજ સાહેબ કયાં ચોમાસું છે તેના સમાચાર મળી ગયા છે. સરનામું પણ છે. હવે તો પત્ર લખવો જ છે. આટલે આવીને અટકી જવાય છે. પત્ર લખવો છે પણ પત્રમાં શું લખવું ? આવડતું તો છે નહીં ? ગમે તેવો પત્ર મોકલવો તે કરતાં ન લખવું સારું. આપણે મનને મનાવીએ છીએ. આ ભૂલ કરવા જેવી નથી. પત્ર કેવી રીતે લખવો તે શીખી લેવું છે. કાગળ અને પેન હાથમાં લઈને બેસી જવું છે. બેસી ગયા. હવે ? કપાળે પસીનો આવવા લાગ્યો. શરૂઆત ક્યાંથી કરવી. મહારાજ સાહેબનું નામ કેવી રીતે લખવું? ઉપર તિથિ લખવાની કે તારીખ ? નામ લખતા પહેલા શું લખવાનું? પેલા સ્ટાન્ડર્ડ અને સુંદર વિશેષણો હતા તે યાદ જ નથી આવતા, હવે ? ગભરાઓ મત, મહારાજસાહેબને તો તમે જે લખશો તે બધું ગમવાનું છે. મહારાજસાહેબ શબ્દો પકડીને અટકી ન જાય. એ તો ભાવ વાંચે. તો કરો શરૂઆત. સારા અક્ષર, ચોખ્ખો કાગળ. પૂરેપૂરી ભક્તિ. મારા પરમ ઉપકારી ગુરુદેવ, પરમ પૂજ્ય' આ શરૂઆત થઈ. તમે સારાં વિશેષણો વાપરીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. એ દમામદાર વિશેષણો પછી આ છ શબ્દો અચૂક લખજો. પછી મહારાજસાહેબનું નામ. ‘આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય...સૂરીશ્વરજીમહારાજાની પાવન સેવામાં” આ શબ્દો સાથે જ તમે મહારાજસાહેબના સંપર્કમાં આવી ગયા. મહારાજસાહેબ આચાર્ય ન હોય તો નામ લખવાની ઢબ બદલાશે. ‘ઉપાધ્યાયજી ભગવંત | પંન્યાસજી ભગવંત | ગણિવર્યશ્રી / મુનિરાજશ્રી..... વિજયજી મહારાજસાહેબની સેવામાં આ રીતે લખી શકાય છે. એક વસ્તુ યાદ રાખજો . મહારાજસાહેબ આ બે શબ્દો પૂરેપૂરા લખો. મ.સા. લખવામાં મજા નથી. તમને મ.સા.નો અર્થ તો ખબર જ છે. તો પત્ર હવે આગળ. આપના દાસાનુદાસ/સેવક/શિષ્ય/ભક્ત.....ની અનન્ત વન્દના' તમારે ચારમાંથી એક જ લખવાનું છે. તમારી ઓળખ શેઠ તરીકે નથી તે ગુરુભગવંતને જણાવવા માટે આ ચારમાંનો એક શબ્દ તમારાં નામ આગળ જરૂરી છે. વન્દના લખ્યા પછી પત્ર આગળ ચાલશે. “આપકૃપાળુ સુખશાતામાં હશોજી. આપની સંયમસાધના સુચારુરૂપે પ્રવર્તતી હશેજી. આપની કૃપાથી અમારી આરાધના યથાશક્તિ સારી રીતે ચાલી રહી છે. - હવે તમારા દરવાજા ખૂલે છે. તમે મોકળા મને તમારા દિલની બધી જ વાતો જણાવી શકો છો. જણાવવું જ જોઈએ. મહારાજસાહેબની હિતશિક્ષા કે વ્યાખ્યાનની વાતો યાદ આવે છે તેવું ખાસ લખવાનું. ભલે આટલા મહિના કાંઈ યાદ નથી આવ્યું. લખતી વખતે તો થોડું યાદ આવશે જ. સાથેસાથે એક વાક્ય ખાસ ઉમેરવાનું. ‘આપની યાદ ખૂબ આવે છે, આપ ફરીવાર અમારા ગામમાં કયારે પધારશો ?" આટલું લખ્યા પછી ખાસ લખાણ, “અમારા યોગ્ય કાર્યસેવાનો લાભ અવશ્ય આપશોજી.’ હવે પત્ર પૂરો થાય છે. પરિવારના દરેક સભ્યોનાં નામ લખી - એ સૌની ‘વન્દના અવધારશોજી' એમ લખી જ દેવાનું. ભલે બધા બહારગામ ગયા હોય. ફાયદો એ થશે કે મહારાજનો જવાબ આવશે ત્યારે એ બધાં જ નામ મહારાજસાહેબના હસ્તાક્ષરમાં લખાયેલા હશે. છેલ્લે પછી - ‘પત્રમાં કોઈ અવિનય થયો હોય તો ક્ષમા કરશોજી” અને મહારાજસાહેબને ખાસ વિનંતી શું કરવાની ? ‘આપનાં કૃપાપત્રની રાહ જોઈશું. આપની પત્રપ્રસાદી અમારાં જીવનનું અમૃત છે. આમું ભાવભીના વાક્ય સાથે પત્ર પૂરો થાય. છેવટે તમારું નામ લખીને તમારી વંદના લખવાની. ( પત્ર જેટલો લાંબો થાય તેટલો સારો એમ માનવામાં વાંધો નથી. પરંતુ મહારાજસાહેબને ઘણાં પત્રો વાંચવાના છે તે યાદ રાખીને થોડું ટૂંકાવી શકાય છે. મહારાજસાહેબના ઉપકાર અનંત છે. અડધા પોસ્ટકાર્ડમાં પૂરો થઈ જાય તેવો પત્ર ન ચાલે. જૂના જમાનામાં તો ગૃહસ્થો ‘વિજ્ઞપ્તિ પત્ર મોકલતા. એમાં સંસ્કૃત ભાષામાં સેંકડો શ્લોકો રહેતા. તમે તમારી લાગણીને પૂરેપૂરી વાચા આપતો પત્ર લખશો તો મહારાજસાહેબની કૃપાવર્ષાથી સભર સભર પત્રપ્રસાદી અવશ્ય મળશે. તો કરો કંકુનાં. મહારાજસાહેબને પત્ર લખવો જ છે. - - 47 48 છે -