SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જો ઈએ. એની માફી માંગવી જોઈએ. નાનામાં નાના બાળકની ક્ષમાયાચના કરીને હૃદયને ભારમુક્ત બનાવવું જોઈએ. - અમે એવા વડીલો જોયા છે જે બે વરસના બાબલાની સામે હાથ જોડીને માફી માંગી ચૂક્યા છે. નાના બાળકને વડીલો પાસેથી નમ્રતાના આવા સંસ્કારો મળશે તેને જિંદગીભર સંભાળી શકશે. એને કોઈ હેરાન નહી કરીએ શકે. એ કોઈને હેરાન કરવા તૈયાર નહીં થાય. આપણાં ઘરમાં નોકરો છે તેમને આપણે ઘણી વાર દૂભવ્યા છે, ઓછા પૈસા આપીને વધારેમાં વધારે કામ કરાવ્યું છે, તેની પર આક્ષેપ કર્યા છે, તેમને વગર વાંકે ખખડાવ્યા છે, ધમકી આપી છે. તેમને સાચવ્યા નથી. માંદગીમાં કે મુશ્કેલીમાં તેને સથવારો નથી આપ્યો. તેની ગરીબીમાં રાહત થાય તેવી સહાનુભૂતિ દાખવી નથી. નોકરની ભીતરમાં માણસ વસે છે તે સત્ય યાદ નથી રાખ્યું. કામ કરાવવા સિવાય તેની સાથે કશો પ્રેમાળ વહેવાર રાખ્યો નથી. કષાયોથી જો બચવું હોય તો આવા નાનામાં નાના માણસો સુધી જવું પડશે. આપણો આત્મા સ્વચ્છ થાય, કષાયોનો બોજો ઘટે તે જ આપણે જોવું છે. આપણને અહં નડે, અભિમાન રહે તો ક્ષમાધર્મ ચૂકી જવાશે. આપણી આસપાસ આપણા સ્વજનો, પરિચિતો અને મિત્રોનું વર્તુળ છે. આપણે દુશ્મનાવટ કરી છે, નિંદા કુથલી કરી છે, એકબીજાને ઝઘડાવ્યા છે, અંગત સ્વાર્થ માટે રાજકારણ ખેલ્યા છીએ, અદાવતો રાખી છે, અપમાન કર્યા છે, જૂઠું બોલ્યા છીએ, બીજાનાં કામ કર્યા નથી, બીજાની પાસે કામ કઢાવી લેવાની ઉસ્તાદગીરી કરી છે, કોઈના કહેવાથી કોઈની વિરુદ્ધમાં ઊભા રહી ગયા છીએ - આપણાં વર્તુળમાં આપણે આવું પ્રદૂષણ ફેલાવ્યું છે. કશી જ જરૂર નથી છતાં ક્લેશ કર્યા છે. કોઈ જ કારણ નથી છતાં ઉશ્કેરાયા છીએ. સમાજ અને સંઘના સજ્જનોને તકલીફો આપી છે. વ્યવસ્થાનું ભંગાણ કરીને અશાંતિ સર્જી છે. સત્તા માટે રાજરમતો આદરી છે. સહકાર કરવાને બદલો વિરોધ કર્યો છે. સાધર્મિકનો સત્કાર કરવાનું ચૂક્યા છીએ. પ્રભુશાસનના ભક્તજનોને ઉવેખ્યા છે. અહંદુધર્મના ઉપાસકો તો જગતની ઉત્તમ વ્યક્તિઓ ગણાય છતાં તેમને અપમાનિત કર્યા છે. આ ઘોર અપરાધ આપણા હાથે થયો છે. આપણે જ આ બધું સમજવાનું છે. આપણી ભૂલોએ આપણી જિંદગીને બરબાદ કરી છે. આપણે ભૂલોમાંથી બહાર આવીશું, ભૂલોની માફી માંગીશું અને મનના સમગ્ર કષાયોનો બોજો ઉતારી દઈશું તો જીવ્યું લેખે લગાશે ને ધર્મ સાર્થક બનશે. ક્ષમાયાચના પર-ની સાથે કરવી જોઈએ એ પહેલો મુદ્દો હતો. આપણે એ વિચાર્યું ક્ષમાયાચના પરમાત્મા સાથે કરવી જોઈએ એ બીજો મુદ્દો છે. હવે આપણે આ અંગે વિચારીશું. પરમાત્મા કરુણાનિધાન છે. પરમાત્મા પુણ્યના અવતાર છે. પરમાત્માનું ધર્મશાસન આપણાં જીવનનો આધાર છે. આપણાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા છે તે પરમાત્માની જ મંગલકૃપા છે. ભગવાને આપણને બધું જ આપ્યું છે, આપણે ભગવાનને કશું નથી આપ્યું. આપણે ભગવાનની વાણી સાંભળવામાં આળસ રાખી છે. આપણે ભગવાનની આજ્ઞા સમજવાનો પૂરતો પુરુષાર્થ નથી કર્યો. ભગવાનની ભક્તિ અને ભગવાનનો ધર્મ આપણે સ્વાર્થ પોષવા પૂરતા જ કરીએ છીએ. ભગવાનની અનંત કરુણા ઝીલવાની પાત્રતા કેળવવા આપણો કશો જ પ્રયત્ન નથી રહ્યો. આપણી અને ભગવાનની વચ્ચે ઊંડી ખાઈ રહી છે. ભગવાનની નજીક જવાને બદલે ભગવાનથી દૂર દૂર રહેવાનું આપણે મુનાસિબ માન્યું છે. ભગવાનના ઉપકારો સમજવાની - ૧૯ - - ૨૦ -
SR No.009092
Book TitleKshamabhavna
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay, Prashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy