________________
ફુરસદ નથી રાખી. ભગવાનના ગુણો પારખવાની આવડત નથી કેળવી. ભગવાનનો માર્ગ સાચી રીતે સમજયા નથી. સત્ય અને અસત્યનો સ્પષ્ટ નિર્ણય કરવાની હિંમત કેળવી નથી. ભાવનાત્મક ભૂમિકાએ આવી ઘણી ક્ષતિઓ રહી છે. ઉપરાંત પણ ભૂલો કરતા આવ્યા છીએ. દેરાસરમાં પૂજા કરી તો અવિધિપૂર્વક કરી, ઉતાવળ કરી, બીજાને ખલેલ પાડી, આશાતનાઓ સમજ્યા નહીં તેથી રોજેરોજ ચાલતી રહી. પૂજા-પૂજનોઉત્સવમાં ભાગ ન લીધો. દેરાસરનાં નાના મોટા કામો કરવા જોઈએ તેને બદલે પૂજારી પાસે કામ કરાવ્યાં. દેરાસરના ઓટલે બેસી ગામગપાટા હાંક્યા. પરમકૃપાળુ પરમાત્માની અપરંપાર આશાતનાઓ કરી. આ દરેક અપરાધોની ક્ષમાયાચના પરમાત્મા સમક્ષ કરવી જોઈએ.
પરમાત્મા જેવું જ સ્થાન ગુરુભગવંતોનું છે. આજે જગતમાં ધર્મનો ડંકો વાગે છે તે ગુરુભગવંતોનો પ્રભાવ છે. આપણાં ઘરમાં પ્રસન્નતા અને આનંદમંગલ વર્તાય છે તે પણ ગુરુભગવંતોની કૃપા છે. આપણા ધર્મના સર્વસત્તાધીશ આ ગુરુભગવાનું છે. આપણે આ ગુરુભગવંત સાથે કેવો વર્તાવ કર્યો છે તે વિચારવાની જરૂર છે. તેમને ઉપાશ્રયમાં બેસાડી દીધા. તેમની જવાબદારી ટ્રસ્ટીઓને ભળાવી દીધી. તેમને તો કોઈની અપેક્ષા નથી. સંઘના સભ્ય તરીકે આપણે સાધુસાધ્વીજીના માબાપ ગણાઈએ. તેમ છતાં તેમના ગોચરીપાણીનો લાભ સારી રીતે નથી લીધો. માંદગીમાં તેમની વેયાવચ્ચ નથી કરી. તેમણે સોંપેલાં કામ અધૂરા રાખ્યા છે. તેમની પાસે કામ વગર બેસીને તેમના અમૂલ્ય સમયને બરબાદ કર્યો છે. તેમની આજ્ઞા સ્વીકારી નથી. તેમની માટે અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા છે. ગુરુ અને ભક્તનો લોકોત્તર સંબંધ શાસ્ત્રોમાં ખૂબ વખણાયો છે. આપણે એવી સમર્પણશીલતા કેળવી નથી શક્યા. આપણો ગુરુ માથેનો સંબંધ ઔપચારિક અને ઉપરછલ્લો રહ્યો છે. ગુરુભગવંતોની કૃપા મેળવવા આપણે કોઈ જ પુરુષાર્થ કર્યો નથી. તેમનાં વ્યાખ્યાન મફતમાં સાંભળ્યા, તેમનો વાસક્ષેપ મફતમાં લીધો. ગુરુભગવંતનો કોઈ વિશેષ
લાભ આપણે નથી લીધો. પોતાના ખભે શાસનનો ભાર વહન કરી રહેલા ગુરુ ભગવંતોના ઘણા અપરાધ આપણા હાથે થયા હશે. એ બધું જ યાદ કરીને સાચ્ચા દિલની ક્ષમાયાચના કરવી જોઈએ.
ક્ષમાયાચનાનો ત્રીજો મુદ્દો છે આત્માની ક્ષમાયાચના. આમ તો આ વાત અવહેવારુ લાગશે. આત્માની ક્ષમાયાચના શું કરવાની ? પરંતુ આ જરૂરી છે. આપણાં અંતરમાં સારાં કામ કરવાની ભાવના જાગી હોય તો આપણે એ ભાવનાને સાકાર નથી કરી, આત્માના એ અવાજને દબાવી દીધો છે. ખરાબ કામ કરવાની ક્ષણે મન ના પાડતું હોય છે તો પણ ઝનૂનથી એ ખરાબ કામ કર્યું છે. અંદરનો અવાજ સાચો હતો તે કાને નથી ધર્યો. ઘણી ભૂલો કરી છે પરંતુ માફી માંગવાને બદલે ભૂલનો બચાવ જ કર્યો છે. રૌદ્રધ્યાન કરીને આત્મહત્યા કરવાના વિચાર કર્યા છે. આપણી આધ્યાત્મિક પાત્રતાને આપણે આપણા હાથે સતત અન્યાય કરતા આવ્યા છીએ. આતમાનો અપરાધ થયો છે. આમાની ક્ષમાયાચના કરવી જ પડશે..
આ ત્રણ મુદ્દે ક્ષમાયાચના કરે, તે દુશ્મનો સાથે ક્ષમાયાચના કરી શકશે, તે જ મતભેદ અને મનભેદ સુધીના મામલાની ક્ષમાયાચના કરી શકશે.
આપણા આતમાને ભારે બોજા હેઠળ રાખવો કે ફૂલ જેવો હળવો રાખવો તે આપણા હાથમાં છે. ક્ષમાયાચના સાધનાના શ્વાસ છે. ક્ષમાયાચના આરાધનાનો આત્મા છે. ક્ષમાયાચના જિંદગીનું શ્રેષ્ઠ અર્પણ છે. આપણે સામે ચાલીને ક્ષમા માંગવાનો આત્મધર્મ પાળવાનો છે. શાસ્ત્રોમાં કહ્યું છે : જે નમ્રતા રાખે છે તેને જ શુદ્ધ બનવા મળે છે.
- ૨૧ -