SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સાસુ અને વહુ મા-દીકરીની જેમ રહેતા હોય તેવું નથી જોવા મળતું. સાસુને વહુ પોતાની દીકરી જેવી લાગે અને વહુને સાસુ પોતાની માતા જેવી લાગે તેવી ભાવનાત્મક ભૂમિકા કેળવવી જોઈએ. અહં મમતા કે આગ્રહને છોડી દેવા જોઈએ. જે ઝૂકે છે તે પામે છે. જે ઝૂકતા નથી તે ઘણુંબધું ગુમાવે છે. સાસુવહુના સંબંધોની જેમ સસરાવહુના સંબંધો પણ છે. કોઈ જગ્યાએ આ સંબંધને મૂલવવામાં આવ્યો હશે. બાકી સાસુવહુની જોડી જામતી હોવાથી સસરા અને વહુ વિશે વિચારવાનું બનતું નથી. સસરા તો ઘરના વડીલ છે. ઘરમાં આવેલી નાની વહુની ખરી જવાબદારી સસરાની છે. ઘરનું કોઈ માણસ એને હેરાન કરી ન જાય તેનું પૂરેપૂરું ધ્યાન સસરાએ રાખવું જોઈએ. વહુનો પક્ષ લઈને પોતાના પરિવારના લોકોને રોકવાની તાકાત હોવી જોઈએ સસરામાં. સસરાજી પોતે જ વહુને તકલીફ પડે તેવી રીતે રહેતા હોય, તેની ભૂલો કાઢ્યા કરતા હોય, તેની પર કુદૃષ્ટિ રાખતા હોય, વહુના પિયર માટે એલફેલ બોલતા હોય તો વહુની અવસ્થા તદ્દન દયાજનક બની જાય છે. પોતાની પત્ની, વહુની સાસુ છે તેથી વહુને ધમકાવતી હોય તો સસરાએ પત્નીથી દબાયા વગર તેને વારવી જોઈએ. દીકરો કે મોટી વહુ આ નાનીવહુને પરેશાન કરતા હોય તો સસરાની ફરજ છે કે અન્યાય રોકે. સસરાએ આ બધી ભૂલો કરી હોય તો તેમણે ક્ષમાયાચના કરવી જોઈએ. વહુની ફરજ શું છે ? સસરાને પિતા તુલ્ય માનીને સાચવવા. તેમને કશી અગવડ ન પડે તેનો ખ્યાલ રાખવો. તેમની અવજ્ઞા કે અપમાન ન થાય તેની તકેદારી રાખવી. જુવાનીના જુસ્સામાં વડીલોને મુશ્કેલી પડે તેવું કોઈ વર્તન દાખવ્યું હોય, તેમના શબ્દોની અવગણના કરી હોય, સસરા વિરુદ્ધ પોતાના પતિને ઉશ્કેર્યા હોય, ક્ટા પાડીને અલગ ઘર બનાવ્યું હોય, પિયરમાં જઈને સાસરિયાની ફરિયાદો કરી હોય, ઘરકામમાં પક્ષપાત રાખી સસરાનાં કામો ન કરવાનું વલણ દાખવ્યું હોય, બીજું પણ ન કરવાનું કર્યું હોય તો વહુએ સસરાનાં ચરણો પડીને માફી માંગી લેવી જોઈએ. વહુના હાથમાં, પિયર અને સાસરું આ બંને ઘરની ઇજજત રહેલી હોય છે. વહુની નમ્રતા બંને ઘરમાં અજવાળાં ભરી શકે છે. આપણાં ઘરમાં નાનાં અબુધ બાળકો રહે છે. તેમને જિંદગી શું છે. તેની ખબર નથી. આ બાળરાજાઓ આપણને પરવશ છે. એ ભૂલો કરે છે, એમના હાથે ઘણી ગલતીઓ થઈ જાય છે. તેમને વહેવારની ગતાગમ નથી. તેઓ ઘણી વાર ગડબડ કરી બેસે છે. આપણે તેમનાં નાનપણને સમજી શકતાં નથી. આપણને તેમનાં ભોળપણને વાંચી શકતા નથી. એ વહાલા સંતાનો પર આપણે ગુસ્સો કરીએ છીએ, તેમને મારીએ છીએ, તેમને બધાની વચ્ચે ઉતારી પાડીએ છીએ. તેમની મરજીથી વિરુદ્ધનાં કામો તેમની પર ઠોકી બેસાડીએ છીએ. તેમને વાત્સલ્ય આપવામાં કંટાળો રાખીએ છીએ. સાવ નાના બાળકો રડતા હોય તો તેને છાનો રાખતા નથી, રડવા દઈએ છીએ. થોડા મોટા બાળકોને શિસ્તના બહાને દબાવી રાખીએ છીએ. તેમની ઉપેક્ષા પણ કરીએ છીએ. આપણો સ્વાર્થ હોય ત્યારે તેને કુટુંબવિરુદ્ધ ભડકાવીએ છીએ. આ બાળકોને ધર્મની દિશામાં વાળતા નથી. ધર્મનાં સૂત્રો કરતા સ્કૂલનાં શિક્ષણ શીખવા માટે વધારે મહેનત કરાવીએ છીએ. તે ધર્મની પાત્રતા ખીલવે તેનું ધ્યાન રાખતા નથી. તેને બીજા બાળકો સાથેની રેસમાં જોતરી દઈએ છીએ. સારું ભણે તો વહાલ મળે એવી શરતી લાગણી રાખીએ છીએ. એ માસુમ સંતાનનાં દિલથી સહન ન થઈ શકે એવું આપણું વર્તન રહ્યું છે. આ નાના બાળકોની ભલીભોળી ભાવનાને આપણે દૂભવતા આવ્યા છીએ. એ ભૂલી ગયું. એને આપણો ગુસ્સો ઠપકો યાદ નહી હોય. પરંતુ એની અંદર જખમ તો આપણા હાથે થયા જ છે. આપણે તેને ખોળામાં બેસાડીને પ્રેમથી પોતાની ભૂલ જણાવવી - ૧૭ - - ૧૮ -
SR No.009092
Book TitleKshamabhavna
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay, Prashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy