________________
आर्ता देवान् नमस्यन्ति, तप: कुर्वन्ति रोगिणः। निर्धना: दानम् इच्छन्ति वृद्धा नारी पतिव्रता॥
[દુ:ખી માણસ દેવને પગે લાગે છે. રોગી માણસ તપ કરે છે. નિર્ધન માણસ દાનને ઝંખે છે. વૃદ્ધ નારી पतिव्रता बने छ !]
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः। नास्त्युद्यमसमो बन्धुः कुर्वाणो नावसीदति॥
[આળસ એ માણસના શરીરમાં રહેલો તેનો મોટો શત્રુ છે. ઉદ્યમ જેવો કોઈ બંધુ નથી. ઉદ્યમ કરનારો કદી નાશ પામતો નથી.]
आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृङखला। यया बद्धाः प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्॥
[આશા નામનું મનુષ્યનું બંધન ભારે અદ્દભુત બંધન છે. આ બંધનથી બંધાયેલો માણસ દોડવા લાગે છે તો આ બંધનથી મુક્ત થયેલ માણસ અપંગની જેમ સ્થિર થઈ જાય છે !]
आस्ते भग आसीनस्य ऊध्वस्तिष्ठति तिष्ठतः। शेते निपद्यमानस्य चराति चरतो भगः॥
[મહાભારતનો શ્લોક છે. જે માણસ કામ કર્યા વિના બેઠો રહે તેનું નસીબ બેઠેલું રહે છે. જે ઊભો ઊભો વિચાર કર્યા કરે છે તેનું નસીબ પણ ઊભું જ રહી જાય છે. જે માણસ ઊંઘી જાય તેનું નસીબ ઊંઘી જાય છે પણ જે ચાલતો જ રહે તેનું નસીબ ચાલવા લાગે છે.]
आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम्। धर्मो हि तेषाम् अधिकोविशेषो धर्मेण हीना: पशुभिः समाना:॥
7