________________
[મૌનથી બધા હેતુ સરે છે. બોલ બોલ કરવાના પોતાના વાંકે પોપટ તથા મેનાને પાજરામાં પૂરાવું પડે છે જ્યારે મૌન રહેતા બગલાને કોઈ બંધન સહન કરવું પડતું નથી]
आत्मनो गुरुः आत्मैव पुरुषस्य विशेषतः यत। प्रत्यक्षानुमानाभ्याम श्रेयसवनुबिन्दते॥
[આપણે જ આપણા ગુરુ છીએ કેમકે આપણે જ આપણને શીખવતા હોઈએ છીએ. પ્રત્યક્ષ અનુભવ અને અનુમાનથી વધુ સારુ શું છે તેનો આપણને ખ્યાલ આવી જાય છે.]
आत्मपक्षं परित्यज्य परपक्षेषु यो रतः। स परैर्हन्यते मूढः नीलवर्णशृगालवत्॥
[પંચતંત્રની એક વાર્તાનો સારાંશ છેઃ જે માણસ પોતાનો પક્ષ છોડી બીજાના પક્ષમાં રચ્યોપચ્યો રહે તે મૂર્ખ નીલરંગી શિયાળની માફક માર્યો જાય છે.]
आत्मवत सर्वभूतेषु यः पश्यति सः पण्डितः।
[ભગવદ્ ગીતામાં ભગવાનનું કથનઃ જેવો હું છું તેવા જ આ જગતના સર્વે જીવ છે એવું જેને ભાન થાય તે પંડિત કહેવાય.]
आदौ रामतपोवनादिगमनं हत्वा मृगकाञ्चनम्। वैदेहीहरणं जटायुमरणं सुग्रीवसंभाषणम्॥ वालीनिर्दलनम् समुद्रतरणं लङ्कापुरीदाहनम्। पश्चादरावणकुम्भकर्णहननं एतद् इति रामायणम्॥ [લાંબા લચક રામાયણને ટૂંકમાં પતાવવું છે? તો સાંભળો. પહેલા રામ તપોવનમાં ગયા, સોનાના હરણ પાછળ દોડ્યા, સીતાનું હરણ થયું, જટાયુનું મરણ થયુ, સુગ્રીવ સાથે વાતો થઈ, વાલી માર્યો ગયો, સમુદ્રનું તરણ થયું, લંકાનું દશ્ન થયું, રાવણ, કુંભકર્ણનું હનન થયું. બસ રામાયણ પૂરું થયું.]
16