________________
[ખોટા માણસોની સાથે રહેવાથી ડગલે ને પગલે માર ખાવો પડે છે. સોનું પણ આગ અને લોખંડ જેવા પદાર્થોના સંપર્કમાં આવે ત્યારે તેની ઉપર હથોડીથી ધડાધડ પ્રહારો પડવા શરૂ થઈ જાય છે]
આ
आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ।
[ઋગ્વેદનો મંત્રઃ બધી દિશાઓમાંથી કલ્યાણકારી વિચારો અમને પ્રાપ્ત થાઓ.]
आकारैणैव चतुराः तर्कयन्ति परेङ्गितम्।
गर्भस्थं केतकीपुष्पमामोदेनेव षट्पदाः ॥
[હોંશિયાર માણસોને બાહ્ય આકાર જોઈને અંદર શું હશે તે તેની ખબર પડી જાય છે. ભમરો સુગંધ પરથી જ કેતકી પુષ્પની કળીને પારખી લે છે. ]
आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम् ।
सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति॥
[આકાશમાંથી કોઈ પણ નદીમાં પડતું પાણી વહીને જેમ સાગરમાં મળી જાય છે તેમ કોઈ પણ દેવીદેવતાને કરેલું વંદન એક માત્ર ઈશ્વરને પહોંચે છે.]
आतुरे व्यसने प्राप्ते दुर्भिक्षे शत्रुसंकटे ।
राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः ॥
[સંકટના સમયે, દુષ્કાળમાં, શત્રુની ઉપાધિમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી બાજુમાં ઊભો રહે તે જ સાચો સગો છે.]
आत्मनः प्रतिकूलानि परेषाम् न समाचरेत्॥
[ભગવદ્ ગીતાનું કથન છેઃ જે આપણા માટે પ્રતિકૂળ હોય એટલે કે જે આપણને અનુકૂળ ન હોય તેવું આચરણ બીજા સાથે કરવું ન જોઈએ ]
आत्मनः मुखदोषेण बध्यन्ते शुकसारिकाः। बकास्तत्र न बध्यन्ते मौनं सर्वार्थसाधनम्॥
15