SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૯,૬૦ જિતશત્રુ રાજાનો પુત્ર સુમનોભદ્ર યુવરાજ હતો. ધર્મઘોષસૂરિ પાસે ધર્મ સાંભળીને કામભોગથી કંટાળીને દીક્ષા લીધી. એકાકી વિહાર સ્વીકાર્યો. પછી અધોભૂમિમાં વિચરતા શરકાળમાં અટવીતરફ આવ્યો. રાત્રિનામશકો વડે ખવાતા, તે તેને પ્રમાર્જતો નથી, પણ સમ્યફ સહન કરે છે, તેનાથી તે રાત્રે જ કાળધર્મ પામ્યો. આ પ્રમાણે પરીષહ સહેવો. ઉક્ત પરીષદોથી પીડાતો ને વસ્ત્ર, કંબલ આદિના અન્વેષણમાં તત્પર ન બને, તેથી અચેલ પરીષહ કહે છે - • સત્ર - ૬૧, ૬૨ વસ્ત્રોના અતિ જીર્ણ થવાથી, હવે હું સાચેવક થઈ જઈશ. સાથવા ના વો મળતા હું ફરી સહક થઈ જઈશ. એવું મુનિ ન વિચારે મુનિ શારેક ચાલક હાય છે, ક્યારેક સરવેક પણ થઈ જાય છે. બંનેને સંયમ હિતકારી જાણીને જ્ઞાની તેમાં ખેદ ન કરે. વિવેચન - ૬૧, દર પરિજી - બધી તરફ હાનિને પામેલ વસ્ત્રો વડે, હું વસ્ત્ર રહિત થઈ જઈશ, અા દિન ભાવિત્વથી ભિક્ષ એમ ન વિચારે અથવા વયુક્ત થઈશ, કેમકે મારા જીર્ણ વસ્ત્રો જોઈને કોઈ શ્રાદ્ધ સુંદરતર વસ્ત્રો આપશે, તેમ ભિક્ષુ ન વિચારે. મારી પાસે પૂર્વે ગ્રહણ કરેલ વસ્ત્ર નથી. તેવો દાતા પણ નથી, એવી દૈન્યતા ન કરે કે અન્ય લાભની સંભાવના નથી પ્રમુદિત માનસવાળા ન થાય. આ રીતે જીણદિ વસ્ત્રતાથી અોલ વડે સ્થાવિરકલ્પિકને આશ્રીને અયેલ પરીષહ કહ્યો હવે તે જ સામાન્યથી કહે છે - કોઈ કાળે જિનકા પ્રતિપતિમાં સ્થવિર કપમાં પણ અથવા દુર્લભ વસ્ત્રાદિમાં સર્વથા વસ્ત્રના અભાવથી, વસ્ત્ર વિના વદિ નિમિતે પ્રાવરણ સહિત કે જીણદિ વસ્ત્રાપણાથી અવઢવાળો થાય છે. તેમાં જાતે જ, બીજાના અભિયોગથી નહીં, સ્થવિર કકિત્વમાં ક્યારેક વસ્ત્રયુક્ત હોય. આ પ્રમાણે અવસ્થાના ઔચિત્યથી સચેતત્વ કે અચેતત્વમાં, યતિધર્મ તેમને ઉપકારક જાણીને તેમાં અચેલકત્વના ધર્મહિતત્વ, અન્ય પ્રપેક્ષા આદિ વડે જાણવું. સલત પણ ધમપકારિત્વને અગ્નિ આદિ આરંભના નિવારકપણાથી સંયમફળ રૂપે છે. પણ અચેલ થઈને શું આ શીત આદિથી પીડિત એવા મને કંઈ શરણ નથી, તેમ દિનતાનો આશ્રય ન કરે. xxxx-xxx-x-x- (અહીં વસ્ત્રાને આશ્રીને કેટલોક વાદ છે. જેના કેટલંક અંશો જ અમે નોંધીએ છીએ -) વસ્ત્રને માત્ર પરિગ્રહ ન ગણવો, કેમકે જો પરિગ્રહ મૂછને કહેલ છે, તો શરીરની પણ મૂછ હોય જ છે. જેમ શરીર એ મુક્તિનું અંગ છે, તેમ તથાવિધ શક્તિ રહિતને શીતકાળ આદિમાં સ્વાધ્યાયાદિમાં વસ્ત્ર ઉપકારક છે, તેથી તે પણ મુક્તિના અંગરૂપ જ છે. અમ્યુપગમને મૂછનો હેતુ કહેલ છે, નિગૃહીંત આત્માને જરાપણ મૂછ હોતી નથી. મૂછના અભાવે તે અપરિગ્રહ જ છે. તેથી સંયમ રક્ષણના ઉપાય રૂપે સ્વીકારાતા વસ્ત્રમાં પરિગ્રહ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy