________________
ઉત્તરાધ્યયન મુલસૂત્ર-સટીક અનુવાદ/
કહ્યું છે કે - જે પણ વસ્ત્ર કે પાત્ર કે કંબલ કે પ્રાૌંછન છે, તે પણ સંયમ લજ્જાયેં ધારણ કરે અને પરિભોગ કરે. -x-x-x- સૂત્રમાં પણ તીર્થંકરને સર્વેલ અને અયેલ બંને અવસ્થા કહી છે, જેમકે - જિનકલ્પિકોને વસ્ત્રાદિ ઉપકરણનો જે અભાવ કહ્યો છે, તે તેમના ધૃતિ, શક્તિ, સંહનન, તાતિશય યુક્તતાથી જ છે.
તથાવિધિ શક્તિ અને સંહનન રહિતતાથી, હિમકણાનુષક્ત શીતાદિમાં બહુતર દોષહેતુક અગ્નિ આત્માદિક થાય, તથાવિધ આચ્છાદનના અભાવથી શીત આદિથી ખેદિત થયેલાને શુભધ્યાનના અભાવથી સમ્યકત્વાદિથી વિચલન સંભવે છે. (માટે વસ્ત્ર જરૂરી છે.)
જેમ સુધા પરીષહનો વિજેતા પણ આહાર ગવેષણા કરે છે, તેમ પરિશુદ્ધ ઉપભોગપણાથી સચેલ પરીષહત્વને જીતેલ પણ વસ્ત્રની ગવેષણા કરે કે વાપરે, તો તેમાં દોષ નથી. વસ્ત્રો પણ ધર્મોપકારી છે જ. -૪-૪-૪-૪-૪-x-x- વાચક સિદ્ધસેને પણ કહેલ છે કે - મોક્ષને માટે ધર્મસિદ્ધિ અર્થે શરીરને ધારણ કરાય છે, શરીર ધારણાર્થે ભિક્ષાનું ગ્રહણ ઇચ્છવા યોગ્ય છે, તે પ્રમાણે જ ઉપગ્રહાર્થે પાત્ર અને વસ્ત્ર જરૂરી છે તેથી પરિગ્રહ નથી. -x-x
વિવેચનમાં કહેવાયેલ અતિ વિસ્તૃત વાદ - પ્રતિવાદને અંતે નિષ્કર્ષ બતાવતા વૃતિકારશ્રી કહે છે કે - ચારિત્રના નિમિત્તે વસ્ત્રો તે અસિદ્ધ હેતુ નથી. એકાંતિક પણે તેનો પરિહાર કરવો ન જોઈએ.
.
હવે ‘મહલ્લ’ એ દ્વાર કહે છે. તેમાં “એયં ઘમ્મહિય નચ્ચે’' ઇત્યાદિ સૂત્ર સૂચિત દૃષ્ટાંતને કહે છે -
• નિયુક્તિ
૯૪ થી ૯૭ + વિવેચન -
અહીં ચાર નિયુક્તિ છે. તેમાં વર્ણવાયેલ સંક્ષિપ્તરૂપ દૃષ્ટાંતનો વિસ્તાર વૃદ્ધ સંપ્રદાયથી જાણતો. એમ કહીને વૃતિકાસ્ત્રી અત્રે નોંધે છે
-
જીવિત સ્વામીની પ્રતિમાની વક્તવ્યતા અને દશપુરની ઉત્પત્તિ જેમ કહેવાયેલ છે. તે જ રીતે કહેવી, ચાવત્ વજસ્વામીની પાસે નવ પૂર્વે પુરા અને દશમાં પૂર્વને કંઈક ભણીને આર્ય રક્ષિત દશપુર જ ગયા. ત્યાં સર્વ સ્વજન વર્ગને - માતા, ભાઈ, બહેનને દીક્ષા આપી, જે તેના પિતા હતા તે પણ તેમના અનુરાગથી ત્યાં જ સારી રીતે રહે છે, પણ લજ્જાને કારણે વેશ ગ્રહણ કરતાં નથી. હું કઈ રીતે શ્રમણ પણે પ્રવ્રજ્યા સ્વીકારું? અહીં મારી પુત્રી, પુત્રવધૂ, પૌત્રી આદિ છે, તેમની આગળ હું નગ્ન રહી ન શકું. એ પ્રમાણે તે ત્યાં રહે છે. આચાર્ય ઘણું કહે છે. ત્યારે તે કહે છે કે જો મને વસ્ત્રયુગલ, કુંડિકા, છત્ર, જોડા, જનોઈ સાથે દીક્ષા આપવી હોય તો હું દીક્ષા લેવા તૈયાર છું. દીક્ષા લીધી. તેણે છત્ર, કરક, જનોઈ આદિ રાખી મૂક્યા. બાકીનું બધું વૃદ્ધે છોડી દીધું.
કોઈ દિવસે તેઓ ચૈત્યોને વાંદવા ગયા, આચાર્યએ બાળકો તૈયાર કર્યા, તેઓને કહ્યું કે બધાંને વંદન કરજો, આ એક છત્રીવાળાને ન વાંદતા. ત્યારે વૃદ્ધે કહ્યું કે - આ બાળકો મારા પુત્રો અને પૌત્રોને વાંધે છે, તો મને કેમ વાંદતા નથી, શું મેં દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org