SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ર ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ થઈને ભોગો ભોગવે છે. સાધુઓ વડે બધે તેની તપાસ કરાઈ, ક્યાંય ભાળ ન મળી. પછી તેની માતા પુત્રશોકથી ઉન્મતા થઈ ગઈ. નગરમાં પરિભ્રમે છે. અર્હન્નક - અર્હન્નક” એમ વિલાપ કરે છે. જેને જ્યાં જુએ, ત્યાં તે બધાંને કહે છે - કોઈ છે કે જેણે મારા અહંન્નકને જોયો હોય. એ પ્રમાણે વિલાપ કરતી ભમ્યા કરે છે. અર્હન્નકે કોઈ વખત માતા સાધ્વીને જોયા. તુરંત ઉતરીને પગે પડ્યો. તેને જોઈને માતા પૂર્વવત્ સ્વસ્થચિત્તવાળા થયા. ત્યારે કહ્યું - હે પુત્ર ! ફરી દીક્ષા લે. દુર્ગતિમાં ન જઈશ. તેણે કહ્યું - મારાથી સંયમ નહીં પાળી શકાય, પણ હું અનશન કર્યું. પછી માતાના વચનથી તેણે તપતી શિલા ઉપર પાદપોપગમન અનશન કર્યું, મુર્હુત માત્રમાં સુકુમાલ શરીર ઉષ્ણતાથી ઓગળી ગયું. આ પ્રમાણે ઉષ્ણ પરીષહને સહન કરવો જોઈએ. ઉષ્ણતા ગ્રીષ્મમાં હોય, પછી વર્ષાનો સમય આવે, તેમાં દંશમશક સંભવે છે, તેથી તે પરીષહને કહે છે - ♦ સૂત્ર - ૫૯, ૬૦ મહામુનિ ડાંસ અને મચ્છરોનો ઉપદ્રવ થાય તો પણ સમભાવ રાખે, જેમ યુદ્ધમાં મોો હાથી બાણોની પરવા ન કરતો શત્રુનું હનન કરે છે તેમ મુનિ પરીષહતની પરવા ન કરતા અંતરંગ શત્રુને હણે.... દશમશક પરીષ, તેનાથી ત્રાસ ન પામે, તેને નિવારે નહીં, મનમાં પણ તેમના પ્રત્યે દ્વેષ ન કરે. માંસ અને લોહીને ભોગવે તો પણ દેશમશકની ઉપેક્ષા કરે, પણ તેમને હશે નહીં. ♦ વિવેચન - ૫૯, ૬૦ . દેશ-મશક અને ઉપલક્ષણથી જ આદિથી પીડિત મુનિ, તેને ન ગણકારતો સમભાવમાં રહે, અથવા સમર - યુદ્ધમાં કે સંગ્રામને મોરચે પ્રશસ્ત યતિ, સંગ્રામને મોરચે રહેલા પરાક્રમવાન હાથી કે ચોદ્ધાની માફક શત્રુનો પરાજય કરે. જેમ પરાક્રમી હાથી કે યોદ્ધો બાણો વડે વીંધાવા છતાં તેને અવગણીને શત્રુને જીતે છે, તેમ મુનિ પણ દંશાદિ વડે પીડાવા છતાં ક્રોધાદિ ભાવશત્રુને જીતે છે. કઈ રીતે ભાવશત્રુને જીતે ? દંશાદિ વડે ઉદ્વેગ ન પામે અથવા તેઓ વડે પીડા પામતા પણ મુનિના અંગો કંપે નહીં. દંશાદિને પીડા કરતા નિવારે નહીં, અર્થાત્ અંતરાય ન કરે. વચન તો દૂર રહ્યું, મનમાં પણ પ્રદ્વેષ ન કરે. પરંતુ ઉદાસીનતા - ઉપેક્ષા જ કરે. તેથી મુનિ પોતાના માંસ અને લોહીનો આહાર કરતાં જીવોને હણે નહીં. -૪-૪-૪-૪-૪-x- એમ વિચારે કે આ અસંજ્ઞી અને આહારાર્થી મારા આ શરીરને ખાય, તો તે તેમનું ભોજન છે, તેમાં શો દ્વેષ કરવો એ પ્રમાણે વિચારે, પણ તેની ઉપેક્ષા કરી. તેનો ઘાત ન વિચારે. આ પથિ દ્વાર છે. તેમાં દેશ મશકની પીડાને આશ્રીને દૃષ્ટાંત - • નિર્મુક્તિ - ૯૩ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ બતાવતા વૃતિકારશ્રી દૃષ્ટાંતને કહે છે - ચંપા નગરીમાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy