________________
૧૮૮
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૧૪૭૪ -
પુદ્ગલોને વિચટનથી કે ચટનથી શોષે છે, ધારણ કરે છે અથવા પોષે છે તેને સ્કંધ કહે છે. સ્કંધનો દેશ - ભાગ,તે સ્કંધ દેશ. તે સ્કંધોના પ્રદેશ - નિરંશ ભાગો, તે સ્કંધ પ્રદેશ. પરમ એવા તે અણુ-પરમાણુ એટલે નિર્વિભાગ દ્રવ્યરૂપ. રૂપીદ્રવ્યના આ ચાર પ્રકારો છે.
અહીં દેશ અને પ્રદેશના સ્કંધમાં અંતભવથી સ્કંધ અને પરમાણુ એ બે ભેદ સંક્ષેપથી રૂપી દ્રવ્યના ભેદો જાણવા. તે બંનેના લક્ષણો કહે છે.
એકત્વ - સમાન પરિણતિ રૂપથી, પૃથક - બીજા પરમાણુના અસંઘાત રૂપથી લક્ષ્ય કરાય છે તે. સ્કંધ અને ભિન્ન મત્વથી પરમાણુ, સ્કંધો જ પરમાણ રૂપે સંહત છે. પરમાણુની પરમાણુથી અસંહાતિ છે.
અથવા આ સ્કંધ અને પરમાણુ રૂપ બે ભેદ કઈ રીતે કહ્યા ? એકપણાથી, બેના ત્રણના ચાવતુ અનંત કે અનંતાનંત પૃથભૂત પરમાણુના અન્યોન્ય સંઘાતથી દ્વિપદેશિકત્વદિરૂપ સમાન પરિણતિરૂપ એક ભાવથી છે, તથા પૃથકત્ર - મોટા સ્કંધોથી વિચટનરૂપ ભેદથી છે. - x x- તેમાં એત્વથી કેટલાક અણુઓ વડે સંહન્યમાનતાથી એક પરિણતિરૂપથી, પૃથકત્વથી તે સમયે જ કેટલાંક અણુના વિચટનથી ભેદ રૂ૫ સ્કલ્થ - તે દ્વિપદેશાદિ ઉત્પન્ન થાય છે. - X* X
એકત્વથી અસહાત્વથી લક્ષિત જે પૃથકત્વથી સ્કંધો થકી વિચટનરૂપ, તેના વડે ઉત્પન્ન થાય છે. એકત્વ વિશેષણ, જે અસહાય દ્વિઅણુકાદિનું વાસ્તવમાં એકત્વ પરિણત છતાં દેશાદિની બુદ્ધિથી પરિકલ્પિત સ્કંધોથી પૃથકત્વ, તેનાથી પરમાણું ન ઉપજે તેમ કહે છે.
આને જ ક્ષેત્રથી કહે છે - • સૂત્ર - ૧૪૩૫ -
પરમાણુના એકવ થવાથી અંધ થાય છે. સ્કંધોના પૃથફ થવાથી પરમાણુ થાય છે. આ દ્રવ્યની અપેક્ષાથી છે.
ક્ષેત્રની અપેક્ષાથી તે સ્કંધ આદિ લોકના એક દેશથી લઈને સંપર્ણ લોક સુધીમાં ભાજ્ય છે .. અસંખ્ય વિકલ્પરૂપ છે.
અહીંની આગળ સ્કંધ અને પરમાણુના કાળની અપેક્ષાથી ચાર ભેદોને હવે હું કહું છું.
• વિવેચન - ૧૪૫ -
લોક - ચૌદ રાજરૂપનો ક દેશ એક, બે આદિ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશરૂપ પ્રતિનિયત ભાગ લોકનો એક દેશ તે લોકમાં ભાગથી દર્શનીય છે. તે સ્કંધ અને પરમાણુઓ ક્ષેત્રને આશ્રીને છે. અને અહીં અવિશેષ કહેવા છતાં પરમાણુનો એક પ્રદેશ જ અવસ્થાનથી સ્કંધ વિષય જ ભાજતા જાણવી, તે જ વિચિત્રત્વથી પરિણતના બહતર પ્રદેશોથી ઉપચિત પણ કેટલાંક એક પ્રદેશમાં કહે રહે છે. - - બીજા સંખ્યાત પ્રદેશોમાં યાવતુ અકલ લોકમાં પણ તથાવિધ અચિત મહારૂંધ થાય છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International