SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ અધ્યયન ૩૬ - “જીવાજીવ વિભક્તિ” X X ૦‘અનગાર માર્ગ ગતિ' નામે અધ્યયન - ૩૫ કહ્યું હવે છત્રીશમું કહીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયમાં હિંસાનો ત્યાગ કરવો આદિ ભિક્ષુના ગુણો કહ્યા, તે જીવ-અજીવના સ્વરૂપના પરિાથી જ સેવવા શક્ય છે, તેથી તેને જણાવવાને માટે આ અધ્યયન આરંભીએ છીએ, આના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ભાષ્યગાથા આ છે - - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 હું ભાષ્ય ૧ થી ૧૫ સંક્ષેપાર્થ - તેના અનુયોગ દ્વારો ચાર છે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. ઉપક્રમ છે ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અથવા આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા જાણવી. અર્થાધિકારથી તે છ છે. બધાંને યથાક્રમે વર્ણવીને આ સમવતાર કરવો. તેમાં આનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વીમાં અવતરે છે. પૂર્વાનુપૂર્વીથી આ છત્રીશમું અને પશ્ચાનુપૂર્વીથી આ પહેલું અધ્યયન છે. અનાનુપૂર્વી વડે તો એકાદિથી છત્રીશ સુધીમાં કોઈપણ ક્રમે આવે. નામમાં છે ભેદે નામ છે, તેમાં ભાવમાં ક્ષાયોપશમિક્તા છે, કેમકે બધું શ્રુત ક્ષાયોપશમિકમાં આવે છે, પ્રમાણમાં વળી ભાવ પ્રમાણમાં તે ત્રણ ભેદે છે. વળી તે લોકોતર અને અનંગ શ્રુત એવા આગમમાં અવતરે છે. તે પણ કાલિક શ્રુતમાં આ આગમ અવતરે છે. તે પણ અનંતર, પરંપર ઉભયરૂપ આગમ ત્રિકમાં અવતરે છે. પણ સંખ્યા પરિમાણ સમવતરે છે. અર્થાધિકારથી અહીં જીવાજીવોથી વર્તે છે. નિક્ષેપમાં સ્થાપના એક અર્થમાં થાય છે તે ત્રણ ભેદે છે, ઓધ, નામ અને સૂત્ર આલાપક. - ××× તેમાં આનું નામ જીવ અને અજીવાનો વિભાગ ‘“જીવાજીવ વિ’િ” છે. અહીં જીવ, અજીવ અને વિભક્તિ ત્રણ પદો વર્તે છે, તેનો નિક્ષેપો - - * * * * X . Jain Education International • નિર્યુક્તિ - ૫૫૨ થી ૫૫૯ + વિવેચન - જીવનો નિક્ષેપો ચાર ભેદે છે તેમાં દ્રવ્યજીવના બે ભેદો છે. તેમાં નોઆગમ દ્રવ્યજીવ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. જીવદ્રવ્ય ભાવમાં જીવદ્રવ્યના દશ ભેદે પરિણામ છે. અજીવનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી અજીવ બે ભેદે છે. * * * ચાવત્ ભાવમાં અજીવ દ્રવ્યના પરિણામ દશ પ્રકારે છે. વિભક્તિનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. - - યાવત્ જીવોની અને અજીવોની વિભક્તિ તે બે ભેદ છે તેમાં જીવના પણ સિદ્ધ અને અસિદ્ધ બે ભેદે વિભાગો છે. અજીવોના પણ રૂપી અને અરૂપી અજીવ એવી વિભાષા સૂત્રમાં છે. ભાવમાં છ ભેદે વિભક્તિ છે, તેમાં અહીં દ્રવ્ય વિભક્તિનો અધિકાર છે. -૦- ગાથાર્થ કહ્યો. કિંચિત્ વિશેષ કહે છે, તે આ પ્રમાણે છે - જીવદ્રવ્ય તે દ્રવ્યજીવ કહેવાય છે. -x - દ્રવ્યની પ્રાધાન્યતાથી દ્રવ્યજીવ, ભાવમાં દશભેદે જ છે. કર્મના ક્ષયોપશમ કે ઉંદયની અપેક્ષા પરિણતિરૂપ જીવદ્રવ્યના સંબંધ જીવથી અનન્યત્વથી જીવ પણે વિવક્ષીત તે જીવ છે. તેમાં ક્ષાયોપશમિકમાં પાંચ ઇંદ્રિયો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy