SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫/૧૪૪૫ થી ૧૪૬૪ ૧૮૩ અમૂર્શિત ન થાય. આવા પ્રકારનો થઈને રસને માટે “આ સરસનું હું આસ્વાદ કરીશ” એમ પૂછથી આહાર ન કરે. કેવળ સંયમના નિર્વાહ માટે જ આહાર કરે. આના વડે પિડવિશુદ્ધિ કહી. આ પ્રમાણે આશ્રય અને આહારની વિચારણાથી ઉત્તરગુણ કહ્યા. હવે આ રીતે રહેતા સાધુને આભામાં બહુમાન ઉત્પન્ન થતાં ક્યારેક અર્ચનાદિ પ્રાર્થે તો ? . (૧૪૬૧) પુષ્પાદિથી અર્ચના, પૂજા, નિષધાદિ વિષયક રચના, વંદન, વચનાદિ વડે સ્તવના, વિશિષ્ટ વસ્ત્રાદિથી પૂજન, પ્રતિલાભન, ઋદ્ધિ, અર્થપ્રદાનાદિ સત્કાર, અબ્રુત્થાનાદિ સન્માન, તેને મનથી તો શું? વાણીથી પણ ન પ્રાર્થે, અભિલાષા ન કરે. તો શું કરે ? તે કહે છે - (૧૪૬૨) શુક્લ ધ્યાનને ધ્યાવે, નિયાણા રહિત અને અકિંચન થાય, કાયાને વોસિરાવીને વિચરે, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે. ક્યાં સુધી ? મરણફાળ પ્રાપ્ત થાય ત્યાં સુધી મૃત્યુ સમયે શું કરે ? (૧૪૬૩) અશનાદિ આહારનો પરિત્યાગ કરે. સંલેખના કરે. ક્યારે ? કાળધર્મમાં - આયુષ્યના ક્ષયના લક્ષણમાં, મૃત્યુ સ્વભાવ નીકટ આવે ત્યારે. તથા મનુષ્ય સંબંધી શરીરનો ત્યાગ કરીને, વીર્ચતરાયના ક્ષયથી વિશિષ્ટ સામર્થ્યવાનુ બનીને શારીરિક અને માનસિક દુઃખોને વિરોષથી ત્યજે છે. તેના નિબંધક કર્મનો અપગમ થાય છે. કેવ થઈને ? (૧૪૬૪) મમત્વરહિત, “હું અમુક જાતિનો છું” ઇત્યાદિ અહંકાર રહિત, સગ અને દ્વેષ રહિત થઈને, મિથ્યાત્વ દિ તેના હેતના અભાવે કર્માશ્રવ રહિત થઈને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે. ક્યારેય પણ વિચ્છેદ ન પામે તેવા શાશ્વત અને અસ્વાથ્ય હેતુ કર્મના અભાવથી સર્વથા સ્વસ્થીભૂત થાય. • • • • - આ પ્રમાણે વીશ સૂત્રોની વિવેચના કરી. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૫ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy