________________
અધ્ય. ૩૪ ભૂમિકા
૧૬૭
આચ્છાદનોની, દર્પણની, મરકતમણિની. ચક્રવર્તીના રત્ન એવા કાકિણીની, આ સૂર્યાદિની જે જન નયનોને શ્લેષ કરે છે તે લેશ્મા અર્થાત્ ચક્ષુ આક્ષેપિકા સ્નિગ્ધ દીપ્તરૂપ છાયા તેને નોકર્મણી અજીવ દ્રવ્યલેશ્યા દશ ભેદે છે, તેમ જાણવું, અહીં ચંદ્રાદિ શબ્દથી તેના વિમાનો લેવા. કેમકે તેના પૃથ્વીકાયરૂપત્વમાં પણ સ્વકાય - પરકાય શસ્ત્રથી ઉપનિપાતના સંભવથી તેના પ્રદેશોમાં કેટલાંકમાં અચેતનત્વથી અજીવલેશ્યાપણું જાણવું. ઉપલક્ષણથી આ દશવિધ દ્રવ્યોમાં રજત આદિની છાયાને પણ બહુતર ભેદના સંભવથી જાણવી.
આ પ્રમાણે નોકર્મ દ્રવ્યલેશ્યા જણાવીને કર્મદ્રવ્ય લૈશ્યા કહે છે તે છ ભેદે જાણવી. કૃષ્ણા, નીલા આદિ. આ કર્મેદ્રવ્ય લેશ્યા શરીરનામ ફર્મદ્રવ્યો જ છે. તો પછી “યોગપરિણામ લેશ્યા'' કઈ રીતે ? જે કારણે સયોગી કેવલી શુકલ લેશ્યા પરિણામથી વિચરીને અંતર્મુહૂર્ત બાકી રહેતા યોગનિરોધ કહે છે. પણ અયોગિત્વ અને અલેશ્યાત્વને પામે છે, તેથી યોગ પરિણામ લેશ્યા કહેલ છે. તે યોગ એ શરીરનામ કર્મ પરિણતિ વિશેષ છે. -*-*-* - જે પ્રમાણે કાય આદિ કરણયુક્ત આત્માની વીર્ય પરિણતિ તે યોગ કહેવાય છે, તે પ્રમાણે જ લેશ્યા પણ જાણવી. કર્મની સ્થિતિનો હેતુ તે લેશ્યા છે તેથી ગુરુઓ “કર્મ નિસ્યંદ લેશ્યા'' કહે છે. - X + X + X + X - x +
એ પ્રમાણે દ્રવ્યલેશ્યા કહી, હવે ભાવલેશ્યા કહે છે - ભાવલેશ્યા બે ભેદે છે - (૧) વિશુદ્ધ લેશ્યા - અકલુષ દ્રવ્ય સંપર્કથી જન્મેલ આત્મ પરિણામ રૂપ (૨) અવિશુદ્ધ લેશ્યા - તે પ્રમાણે જ જાણવી.
-
વિશુદ્ધ લેશ્યા બે પ્રમાણે છે - ઉપશમથી થયેલ અને ક્ષયથી થયેલ. અર્થાત્ (૧) કષાયના ઉપશમથી થતી, (૨) કષાયના ક્ષયથી થતી. એકાંત વિશુદ્ધિને આશ્રીને આ કથન કરેલ છે. અન્યથા ક્ષાયોપશતિકી એવી પણ શુકલ, તેજો અને પદ્મ એ વિશુદ્ધલેશ્યા સંભવે જ છે.
અવિશુદ્ધ લેશ્યા, તે પૂર્વે કહેલ છે તે નિયમથી બે ભેદે જાણવી. પ્રેમમાં અર્થાત્ રાગમાં અને દોસ અર્થાત્ દ્વેષમાં, એટલે કે રાગવિષયા અને દ્વેષ વિષયા, આ અર્થથી કૃષ્ણ, નીલ, કાપોત રૂપા જાણવી.
આ પ્રમાણે નામ આદિ ભેદથી આ લેશ્યા અનેક પ્રકારે છે તેમાં અહીં કોનો અધિકાર છે ? અહીં કમલેશ્યા વડે અધિકાર છે. પ્રાયઃ આ જ લેશ્યાની અહીં વર્ણાદિરૂપથી વિચારણા થતી હોવાથી કર્મદ્રવ્યલેશ્યા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામાદિ ભેદથી લેશ્યા કહી.
હવે નોકર્મદ્રવ્યલેશ્યાને કહે છે - શરીર, આભરણ આદિની છાયા. જીવ વ્યાપાર - તે શરીરાદિમાં તેલનું અવ્યંજન કે મનઃ શિલાઘર્ષણાદિથી છે તે પ્રયોગ અને વિચા જીવ વ્યાપાર નિરપેક્ષ ઇન્દ્રધનુષ કે વાદળા આદિની તથાવૃત્તિ, તેના વડે જાણવી. ભાવલેશ્યા તે વિપાક, અહીં તે ઉપચારથી ઉદયજનિત પરિણામ કહ્યા છે. કોના ? જીવોમાં છ એ લેશ્યાના પરિણામ.
“અધ્યયન”ના નિક્ષેપાદિ વિનય શ્રુતમાં પૂર્વે કહેલા જ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org