________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 2 અધ્યયન - ૩૪ - “લેશ્યા' છે.
કમપ્રકૃતિ નામક - 33મું અધ્યયન કહ્યું, હવે ૩૪મું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં કર્મપ્રકૃતિઓ કહી. તેની સ્થિતિ વેશ્યાના વશથી છે, તેથી તેના અભિધાનને માટે આ આરંભીએ છીએ. આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ દ્વારની પ્રરૂપણ પૂર્વવત ચાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપ, તેમાં આ લેશ્યા અધ્યયન નામથી લેશ્યા અને અધ્યયન શબ્દનો નિફોપો નિયુક્તિકાર કહે છે
• નિર્યુક્તિ - ૫૩૮ થી પ૪૮ + વિવેચન :
લેશ્યાનો નિક્ષેપો નામાદિ ચાર ભેદ જાણવો. તેમાં દ્રવ્યલેશ્યા બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્યલેશ્યા ત્રણ ભેદે - જ્ઞશરીર આદિ. તેમાં નોઆગમથી તવ્યતિરિક્ત દ્રવ્ય વેશ્યા બે ભેદ - કર્યા અને નોકમાં. નોકમ પણ બે ભેદે છે - જીવો અને અજીવો. જીવોના બે ભેદ જાણવા - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. તે બંને પણ સાત ભેદે છે. અજીવ કર્મનો દ્રવ્યલેશ્યા દશભેદે જાણવી. - ** *- જે દ્રવ્યકમલેશ્યા તેનિયમા છ ભેદે જાણવી, તે આ પ્રમાણે - કૃષ્ણા, નીલા, કાયોત, તેજો, પદ્મ અને શુકલલેશ્યા. ભાવલેશ્યા બે ભેદે - વિશુદ્ધા, અવિશુદ્ધા. વિશુદ્ધા લેણ્યા બે ભેદે - ઉપશમ કષાયા, સાયિક કષાયા. અવિશુદ્ધ ભાવ લેશ્યા બે ભેદે છે - રાગથી અને દ્વેષથી. નોકર્મ દ્રવ્યલેશ્યા પ્રયોગથી અને વિસસાથી ભાવમાં ઉદય જાણવો. - x x
અધ્યયનનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે, ઇત્યાદિ પૂર્વવતું. - ૮ - ૪ - અધ્યવસાનને આશ્રીને ભાવ - અધ્યયન નિક્ષેપો જાણવો.
અહીં નિર્યુક્તિની ૧૧- ગાથાઓ નોંધી છે. તેમાં પહેલાં લેગ્યા શબ્દનો નિક્ષેપો કહે છે. તેમાં તવ્યતિરિક્ત વેશ્યા બે ભેદે છે, તે બે ભેદો કહે છે - કર્મમાં અને નોકર્મમાં. તેમાં કર્મમાં અા વક્તવ્યતાથી તેની ઉપેક્ષા કરીને નોકર્મ વિષયક કહે છે - નોકર્મમાં અથતિ કર્મના અભાવ રૂપમાં થાય છે. તેના બે ભેદો કહ્યા છે. તે કઈ રીતે ઉપયોગ લક્ષણ તે જીવોના અને તેનાથી વિપરીત તે જીવોના. અહીં નોકમ ઉભયમાં પણ કર્મના અભાવરૂપપણાથી તે સંબંધી ભેદથી દ્વિભેદત્ય જાણવું.
તેમાં પણ જીવોને બે ભેદે છે, તેમ જાણવું. અહીં સિદ્ધિ શબ્દ પૂર્વના બંને સાથે જોડવાનો છે. થશે કે થનારી છે, તેવા પ્રકારની સિદ્ધિ જેમની છે તે ભવસિદ્ધિક અર્થાત ભવ્ય. તેનાથી વિપરીત તે અભવ્ય - અભાવસિદ્ધિક. આ બંને ભેદો જીવોના થાય છે.
અહીં લેશ્યાના સાત પ્રકારો કહ્યા છે. અહીં શ્રી જયસિંહ સૂરિ કહે છે - કૃષ્ણ આદિ છ લેયા અને સાતમની સંયોગના, અહીં શરીરની છાયારૂપ પરિગ્રહણ કરાય છે. બીજા દારિક અને દારિક મિશ્ર ઇત્યાદિ ભેદથી સાત પ્રકારો વડે જીવ શરીરની છાયાને જ કૃષ્ણાદિ વર્ણરૂપ નોકર્મ સાત પ્રકારની જીવદ્રવ્ય લૈશ્યાને માને છે.
જીવનોકર્મ દ્રવ્યલેયા - તે દશભેદે જાણવી. ચંદ્રોની, સૂર્યોની, મંગલ આદિ ગ્રહગણની. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાની તથા એકાવલિ આદિ આમરણોની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org