SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૩૬૯) આયુફર્મના ચાર ભેદ છે - નૈરચિકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયું. ૧૬૦ (૧૩૭૦) નામ કર્મના બે ભેદ છે શુભ નામ અને અશુભ નામ. શુભ નામ અને અશુભ નામના પણ ઘણાં ભેદો છે. (૧૩૭૧) ગૌત્ર કર્મના બે ભેદો છે - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર આઠ ભેદે છે અને નીચ ગોત્ર પણ આઠ ભેદે છે. (૧૩૭૨) સંક્ષેપથી અંતરાય ક્રમના પાંચ ભેદો છે લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગમાંતરાય, વીતરાય. • વિવેચન ૧૩૬૧ થી ૧૩૭૨ (૧૩૬૧) જ્ઞાનાવરણીયના પાંચ ભેદ કહ્યા. આવાર્યના ભેદથી આવરણના ભેદ કહ્યા છે. જે મતિ જ્ઞાનાવરણીય આદિ પૂર્વે મોક્ષ માર્ગ અધ્યયનમાં કહેલો છે. (૧૩૬૨) ઉંઘ આવવી તે નિદ્રા, તે અહીં સુખેથી જાગી શકાય ના અર્થમાં છે. નિદ્રાનિદ્રા - દુઃખે જાગી શકાય તેવી છે, માટે બે વખત ઉચ્ચારણ કર્યું. પ્રચલા - બેઠાં બેઠાં પણ ઉંઘ, પ્રચલા પ્રચલા - પ્રચલા કરતા પણ અતિશયવાળી છે, ચાલતા ચાલતા પણ ઉંઘે. છેલ્લે સ્ત્યાનગૃદ્ધિ - તે પ્રકૃષ્ટતર અશુભ અનુભાવપણાથી, તેનાથી પણ ઉપરવર્તિની છે તેમાં ચાન - સંહત ઉપચિત, ઋદ્ધિ-વૃદ્ધિ. તેના ઉદરમાં વાસુદેવના બળ કરતાં અડધુ બલ પ્રબળ રાગ-દ્વેષ ઉદયવાળાને ઉપજે છે. (૧૩૬૩) ચક્ષુ વડે રૂપ સામાન્ય ગ્રહણમાં ચક્ષુર્દર્શન, ચક્ષુ સંદેશ બાકીની ઇંદ્રિયો અને મનમાં તેનું દર્શન તે અચક્ષુર્દર્શન. અવધિ વડે રૂપી દ્રવ્યોનું સામાન્યથી ગ્રહણ તે અવધિદર્શન તથા કેવલદર્શન - સર્વે દ્રવ્ય પર્યાયોનો સામાન્ય અવબોધ. તેના આચરણના ચાર ભેદથી ચક્ષુર્દર્શનાવરણ આદિ ચાર ભેદો થાય. આ નવ ભેદે દર્શનાવરણ જાણવું. - . Jain Education International - સુખ, તે શારીરિક (૧૩૬૪) વેદનીય - આહ્લાદકત્વથી આસ્વાદાય છે તે સાતા - અને માનસિક હોય, તેને બંધાવનાર ફર્મ, અસાતા તેનાથી વિપરીત કહેલ છે. સાતા વેદનીયના ઘણાં ભેદો કહેલા છે, તેના હેતુભૂત અનુકંપાદિ ઘણાં ભેદપણાથી છે. એ પ્રમાણે અસાતાના પણ ઘણાં ભેદ છે. જેમકે દુઃખ, શોક, આતાપ આદિથી તેનું બહુવિધત્વ છે. દાનાંતરાય, (૧૩૬૫) મોહનીય કર્મના બે ભેદ છે - વિષરાથી તેનું વૈવિધ્ય કહે છે. દર્શન તત્ત્વચિરૂપ, ચરણ - ચારિત્ર. તેથી દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન વિષયક મોહનીય ત્રણ ભેદે કહેલ છે. ચરણ વિષય મોહનીય બે ભેદે કહેલ છે. (૧૩૬૬} દર્શન મોહનીયના ત્રણ ભેદ - સમ્યગ્ ભાવ તે સમ્યકત્વ - • શુદ્ધદલિક રૂપ, જેના ઉદયમાં પણ તત્ત્વરુચિ થાય. મિથ્યાભાવ તે મિથ્યાત્વ - અશુદ્ધ દલિક રૂપ છે, તેથી તત્ત્વમાં અતત્ત્વ અને અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ ઉપજે છે. સમ્યમિથ્યાત્વ અર્થાત મિશ્રમાં શુદ્ધાશુદ્ધદલિક રૂપ છે, તેનાથી જીવોને ઉભય સ્વભાવના થાય છે. આ ત્રણ પ્રકૃતિ કહી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy