SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩/૧૩૫૯, ૧૩૬૦ ૧૫૯ • સૂત્ર - ૧૩૫૯, ૧૩૬૦ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીસ, આયુકર્મ.... નામકર્મ, ગોત્ર અને અંતરાય. સંક્ષેપથી આ આઠ કમો છે. • વિવેચન - ૧૩પ૯, ૧૩૬૦ - (૧) જેના વડે જણાય તે જ્ઞાન - અવબોધ, તેને વસ્ત્રની જેમ આચ્છાદિત કરે તે આવરણીય એવું જ્ઞાનારણીય. (૨) જેના વડે દેખાય તે દર્શન - સામાન્ય અવબોધ, તે પ્રતીહારની માફક રામના દર્શન કરતા જેના વડે અટકાવે તેવું દર્શનાવરણીય. (3) સુખદુઃખની જેમ અનુભવાય કે વેદાય તે વેદનીય - મધ વડે લિખ તલવારની ધાર ચાટવા સમાન, (૪) મોહનીય - જાણવા છતાં મોહ પામે તે, મધપાનવત્ ચિત્તતાજનન. (૫) આયુ - સ્વકૃત કર્મો વડે પ્રાપ્ત નરકાદિથી નીકળવા ઇરછતા આત્માને બેડી જેમ બંધક કર્મ. (૬) નામ - આત્માને ગતિ આદિ વિવિધ ભાવાનુભવ પ્રતિ નમાવે છે, ચિત્રકારની જેમ હાથી-ઘોડાના ભાવ પ્રતિ રેખા કરે છે તેવું. (9) ગોત્ર - ઉચ્ચનીય શબ્દથી બોલાતુ, આત્માને ચાકડા માફક ભગાડાતું કર્મ. (૮) અંતરાય - દાતા પ્રતિ ગ્રાહકનું અંતર, ભંડારીની જેમ વિજ્ઞ હેતપણે વર્તે છે તે કર્મ. આ રીતે આઠ કર્મો સંક્ષેપથી કહ્યા. વિસ્તારથી તો જેટલાં જીવભેદો છે, તેના પ્રત્યે તેટલા અર્થાત્ અનંતભેદો છે. -x- - જ્ઞાનના પ્રાધાન્યથી પહેલું કથન જ્ઞાનાવરણનું કર્યું. પછી દર્શનાવરણ, પછી એફવિધ બંધક કેવલીને પણ સાતાનો બંધ હોવાથી વેદનીયનું, પછી પ્રાયઃ સંસારીને થતાં રાગદ્વેષને કારણે મોહનીયનું એ રીતે • • - - આયુનું, નામનું, ગોત્રનું, અંતરાય કર્મનું કથન કર્યું છે. આ પ્રમાણે કર્મોની મૂળ પ્રકૃતિ કહીને કર્મનું કથન કર્યું છે. • સૂત્ર - ૧૩૬૧ થી ૧૩૭૨ - (૧૩૬૧) જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે - શુત, અભિનિબોલિક, અવધિ, મન અને કૈવલ (પસાથે જ્ઞાનાવરણ શબ્દ જોડવો.). (૧૩૬ર, ૧૩૬૩) નિદ્રા, પાયલ, નિદ્રાનિદ્રા, અચલપ્રચલા અને સ્થાનમૃદ્ધિ તે પાંચમી.... ચા, અયક્ષ, અવધિ અને કેવલ દર્શનાવરણ એ ચાર. બંને મળીને દર્શનાવરણ કર્મના નવ ભેદ છે. (૧૩૬૪) વેદનીસ કર્મના બે ભેદ છે - સાતા અને સાતા. સાતા અને અસાતા વેદનીયના અનેક ભેદો છે. (૧૩૬૭ થી ૧૩૬૮) મોહનીય કર્મના પણ બે ભેદો છે • દર્શન અને ચારિત્ર મોહનીસ. દર્શન મોહનીસના ત્રણ ભેદ અને ચારિત્રમોહનીસના બે ભેદ છે... દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ છે • સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિત્ર મોહનીય. ચા»િ મોહનીયના બે ભેદ છે - કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીય કર્મના સોળ ભેદ છે અને નોકષાય મોહનીય ફર્મના નવ ભેદો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy