SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૫૮ - - ૪ - ઉત્તરાયયન મૂલસૂત્ર-સટીક અનુવાદ છે અધ્યયન - ૩૩ - “કર્મપ્રકૃતિ” છે. - X — —— * પ્રમાદ સ્થાન નામે બત્રીશમું અધ્યયન કહ્યું. હવે તેત્રીશમું આરંભે છે. આનો આ અભિસંબંધ છે- અનંતર અધ્યયનમાં પ્રમાદસ્થાને કહેલા છે. તે મિથ્યાત્વ, અવિસતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુઓ છે, તે વચનથી કર્મ બંધાય છે. તેની પ્રકૃતિ કઈ છે? તેની સ્થિતિ કેટલી છે? ઇત્યાદિ સંદેહ દૂર કરવાને આ અધ્યયનનો આરંભ કરે છે. આના ચાર અનુયોગ દ્વારની ચર્ચા પૂર્વવત્ ચાવત નામ નિપામાં “કર્મપ્રકૃતિ' એ નામ છે, તેનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૫૩૧ થી ૫૩૬ + વિવેચન - કર્મનો નિક્ષેપો ચાર ભેદે છે. તે નામાદિ ચારમાં દ્રવ્ય નિક્ષેપાના બે ભેદ છે, તેમાં નોઆગમથી કર્મ દ્રવ્યના ડ્રાશરીર આદિ ત્રણ ભેદો છે. તેમાં તવ્યતિરિક્ત કર્મ દ્રવ્યના કર્મ અને નોકર્મ બે ભેદો છે. નોકર્મ દ્રવ્યકમતે લેપકર્મ આદિ જાણવા. ભાવમાં આઠ પ્રકારના કર્મોનો ઉદય જાણવો. “પ્રકૃતિ'નો નામાદિ ચાર ભેદે નિક્ષેપો છે. ઇત્યાદિ પૂર્વવતુo ઉક્ત છ ગાથામાં જ્ઞાનાવરણાદિનો ઉદય - વિપાક, તેનો અભાવ તે સાનુદય કહેવાય. અનુદયાવસ્થામાં કર્મ જ કર્મના કાર્યના અકરણથી તે તદ્ગતિરિક્ત દ્રવ્ય કર્મ કહેવાય. નોદ્રવ્યકર્મ તે લેખકર્મ, કાષ્ઠ કમદિને જાણવા. આની નોકમતા જ્ઞાનાવરણાદિ કર્મના અભાવરૂપથી છે. દ્રવ્યકર્મતા તે દ્રવ્યના - પ્રતિમાદિના ક્રિયમાણત્વથી છે. ભાવમાં વિચારતા અનુક્રમે કર્મનો ઉદય જાણવો. તે આઠ પ્રકારના કર્મનો કહ્યો. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોની ઉદયાવસ્થા તે ભાવકર્મ છે. કેમકે તેના જ કર્મકાર્યકરણથી છે. પ્રકૃતિ નિક્ષેપમાં - મૂળ પ્રકૃતિ આદિ રૂપ કર્મનો અનુય તે તદ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યપ્રકૃતિ છે. નોકર્પદ્રવ્ય ગ્રહણ પ્રાયોગ્યo - ૪• • ઇત્યાદિ. ભાવમાં વિચારતા મૂળ અને ઉત્તર કર્યપ્રકૃતિનો ઉદય - વિપાક કહે છે. હવે સૂત્ર કહે છે • સૂત્ર • ૧૩૫૮ - હું આનુપૂર્વી ક્રમાનુસાર આઠ કર્મોનું વર્ણન કરીશ. જેનાથી બંધાયેલો આ જીવ સંસામાં પરિભ્રમણ કરે છે. • વિવેચન - ૧૩૫૮ - ‘આઠ” એ સંખ્યા છે. મિથ્યાત્વાદિ હેતુથી જીવ વડે કરાય છે. તે કમોંનું હું પ્રતિપાદન કરીશ. આનુપૂર્વીથી અર્થાત્ ક્રમને ઉલ્લંધ્યા વિના પૂર્વાનુપૂર્વીથી કહીશ, તે તમે સાંભળો, જે કર્મો વડે બદ્ધ છે, પ્રતિ પ્રાણીને સ્વ સંવેધ છે. જેનાથી જીવ સંસારમાં ભ્રમણ કરતા અજ્ઞાનાદિ વિવિધ પર્યાયને અનુભવતા અન્યથા અન્યથા પરિભ્રમણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy