SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉત્તરાયચન મૂલસૂત્ર-સટીક અનુવાદ આ પ્રમાણે મોહ આદિ એ દુઃખના હેતુઓ છે, તેના હનન માટેનો ઉપાય શું આ જ છે કે બીજી પણ કંઈ છે ? એવી આશંકાથી સવિસ્તર તેના ઉમૂલનો ઉપાય બતાવવાને માટે આમ કહે છે - • સૂત્ર - ૧૨૫૫ - જે રાગ, દ્વેષ અને મોહનું મૂળથી ઉખૂલન ઇચ્છે છે, તેણે જે જે ઉપાયોને ઉપયોગમાં લાવવા જઈએ, તેને હું ક્રમશ કહીશ - • વિવેચન ૧૫૫ - ગાથાર્થ સ્પષ્ટ કહેલ છે, વિશેષ આ પ્રમાણે - ઉદ્ધકામ - ઉમૂલન કરવાને ઇચ્છતો, મૂળ સહિત• તેમાં મૂલ – તીવ્ર કષાયોદય આદિ, તે મોહપ્રકૃતિની જાળ - સમૂહ. ઉnય - તેને ઉદ્ધરવાનો હેતુ, કરેલી પ્રતિજ્ઞા અનુસાર સૂત્રકાર કહે છે - • સૂત્ર - ૧૫૬ થી ૧૨૬૬ - (૧૫૬) રસોનો ઉપયોગ કામ ન કરવો જોઈએ. સ્ત્રો પયઃ મનુષ્યને માટે તિર - ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસકત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમાં સ્વાદુ ફળવાળા વૃક્ષને પક્ષી પાડે છે. (૧રપ૭) જેમ પ્રચંડ પવનની સાથે પ્રસુર પંથણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે કામ ભોજનો ઇંદ્રિયોનિ શાંત થતો નથી. બ્રહ્મચારીને માટે પ્રકામ ભોજન ક્યારેય પણ હિતકર નથી. (૧૫૮) જે વિવિક્ત શય્યાસનથી વંબિત છે, જે અલ્પભોજી છે, તે જિતેન્દ્રિય છે, તેમના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરી શકતા નથી. જેમ ઓષધિથી પરાજિત વ્યાધિ ફરી શરીરને આક્રાંત ફરતી નથી. (૧૫૯) જે પ્રકારે બિલાડાના નિવાસ સ્થાનો પાસે ઉંદરોનું રહેવું પ્રશસ્ત - હિતકર નથી, તે જ પ્રકારે સ્ત્રીના નિવાસ સ્થાન પાસે બ્રાહ્મચારીનું રહેવું પણ પ્રશરસ્ત નથી. (૧૬) શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ, લવણય, વિલાસ, હાસ્ય, આલાપ, ચેષ્ટા અને કટાક્ષને મનમાં નિવિષ્ટ કરી દેવાનો પ્રયત્ન ન કરે, (૧૧) જે સદા બ્રહ્મચર્યમાં લીન છે, તેમને માટે સ્ત્રીઓનું આદર્શન, આપાન, અચિંતન, અંકિર્તન હિતકર છે. આર્તધ્યાનને માટે ઉપયુક્ત છે. (૧ર) છે કે ત્રણ ગુતિથી ગુમ મુનિને અલંકૃત દેવીઓ પણ વિચલિત કરી શકતી નથી, તો પણ એકાંત હિતની દૃષ્ટિથી મુનિને માટે વિવિક્તવાસ જ પ્રશસ્ત છે. (૧૨૬૩) મોક્ષાભિકાંક્ષી, સંસારથીરુ અને ધર્મમાં સ્થિત મનુષ્યને માટે લોકમાં એવું કંઈ પણ દુર નથી, જે પ્રમાણે અજ્ઞાનીઓના મનનું હરણ કરનારી સ્ત્રીઓ દસ્તર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy