________________
૩૨/૧૨૫૧
૧૪૧
થાય તો શું ? એકલો - અસહાય, પાપ હેતુભૂત અનુષ્ઠાનોનો વિશેષથી પરિહાર કરે. સંયમ માર્ગમાં એકલો વિયરે. કેવી રીતે ? વિષયોમાં પ્રતિબંધ ન ફરતો, આ તેવા પ્રકારના ગીતાર્થ સાધુને આશ્રીને છે. અન્યથા આગમમાં એકાકી વિહારનો નિષેધ કરેલો છે. આના વડે આહાર અને વસતિ વિષયક અપવાદ પણ કહેલો જાણવો. અહીં પ્રસંગથી જ્ઞાનાદિનો દુઃખ પ્રમોક્ષ ઉપાયત્વ કહેલ છે. તેના પણ મોહાદિ ક્ષય નિબંધનત્વથી તેના ક્ષયના પ્રાધાન્યથી દુઃખ પ્રમોક્ષ હેતુત્વને જણાવે છે - જે રીતે તેનો સંભવ છે, જે રીતે દુઃખ હેતુત્વ છે, જે રીતે દુઃખના પ્રસંગથી તેનો અભાવ છે, તેને જણાવવાને માટે કહે છે -
* સૂત્ર - ૧૨૫૨ થી ૧૨૫૪ -
જે પ્રકારે ઇંડાથી બગલી ઉત્પન્ન થાય અને બગલીથી ઠંડુ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે મોહનું જન્મ સ્થાન તૃષ્ણા છે, તૃષ્ણાનું જન્મ સ્થાન મોહ છે.... કર્મના બીજ રાગ અને દ્વેષ છે. કર્મ મોહચી ઉત્પન્ન થાય છે. તે કર્મ જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ મરણ જ દુઃખ છે... જેને મોહ નથી તેણે દુઃખને સમાપ્ત કરી દીધેલ છે. જેને તૃષ્ણા નથી તેણે તેણે મોહને હણી નાંખ્યો છે. જેને લોભ નથી તેણે તૃષ્ણાનો નાશ કરેલ છે. જેની પાસે કંઈ નથી - અક્રિયત છે, તેને લોભને હોલો છે.
* વિવેચન - ૧૨૫૨ થી ૧૨૫૪ -
જે પ્રકારે ઇંડાથી બગલી - પક્ષી વિશેષની ઉત્પતિ છે, અને બગલીથી ઇંડાની ઉત્પતિ છે, આ બંનેની પરસ્પર ઉત્પતિ સ્થાનતા છે, એ જ પ્રકારે મોહ અર્થાત્ આત્માને મૂઢતા પ્રતિ લઈ જાય તે મોહ - અજ્ઞાન, તે મિથ્યાત્વદોષ દુષ્ટ જ્ઞાન જ લેવું. આયરાન · ઉત્પત્તિ સ્થાન, જેનું છે તે મોહાયતના જ તૃષ્ણા કહેવાય છે. મોહના અભાવમાં અવશ્ય તૃષ્ણાનો ક્ષય થાય છે. તૃષ્ણાયતના તે મોહ છે. તૃષ્ણા ના હોવાથી મૂર્છા છે, તે અત્યંત દુખ્યાજ્ય અને રાગપ્રધાન છે. રાગ હોય ત્યાં ોષ પણ સંભવે છે. એ રીતે તૃષ્ણાના ગ્રહણથી રાહ અને દ્વેષ કહેલા છે. આ અનંતાનુબંધી કષાય રૂપ છે, તેની સત્તામાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય થાય છે. તેથી જ ઉપશાંત કપાસ વીતરાગને પણ મિથ્યાત્વગમન સંભવે છે. તેમાં મોહ અજ્ઞાનરૂપ છે, તે સિદ્ધ થાય છે. - ૪ -
હવે આના દુઃખહેતુત્વને કહે છે - રાગ - એ માયા અને લોભરૂપ છે. દ્વેષ એ ક્રોધ અને માન સ્વરૂપ છે. કર્મ - જ્ઞાનાવરણાદિ, તેનું બીજ - કારણ તે કર્મબીજ, તે મોહથી ઉત્પન્ન થાય માટે ‘“મોહપ્રભવ” કહ્યું.
જન્મ અને મરણ તેનું મૂળ - કારણ કર્મ છે. દુઃખ - સંસારમાં અસાતા, આ જન્મ અને મરણ જ અતિશય દુઃખને હણીને દુઃખને કઈ રીતે હણે ? મોહની વિધમાનતા ન રાખીને. અર્થાત્ મોહના અભાવે દુઃખનો અભાવ છે. આ પ્રમાણે બધું જ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. − x – ૪ – ૪ – x +
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org