SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૨૪૦) એકવીશ શબલ દોષો • ચારિત્રને અતિચાર વડે કલુષીત કરતાં કાબચ્ચીતરું કરે તે શાબલા - ક્રિયા વિશેષ. તે દોષો આ પ્રમાણે છે- (૧) હસ્તકર્મ કરે, (૨) મૈથુન સેવે, (૩) સકિ ભોજન કરે, (૪) આધાકમ વાપરે, (૫) રાજપિંડ, (૬) ક્રિત, (૭) પ્રામિત્ય, (૮) અભ્યાહત, (૯) આચ્છધ • એ સજપિંડાદિ આહાર વાપરે. (૧૦) પચ્ચકખાણ કરીને વારંવાર ખાય, (૧૧) છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે, (૧૨) એક માસમાં ત્રણ વખત ઉદકલેપ કરે અથવા ત્રણ વખત માયા સ્થાનોને સ્પર્શે, (૧૩) પ્રાણાતિપાત આકટ્ટિથી કરતો, (૧૪) જૂઠું બોલે, (૧૫) અદત્ત ગ્રહણ કરે, (૧૬) આંતરા હિત પૃથ્વી ઉપર સ્થાન, શય્યા અને વિકી કરે, (૧૭) સસ્નિગ્ધ સરસ્ક ચિત્તવત્ શિલા - કે, કોલ દિમાં રહેલ ધુણા ઉપર બેસે. (૧૮) સાંડસ પ્રાણ, બીજ આદિમાં સ્થાનાદિ કરે, (૧૯) મૂલ, કંદ, પુષ્પ, બીજ, હરિતને ભોગવે, ૨૦) વર્ષમાં દશ ઉદકલેવ કે દશમાયા સ્થાનોને સ્પર્શે, (૧) સચિત્ત ઉદક સ્પર્શિત હાથ, પાત્ર, કડછી, ભાજન આદિથી દેવાતા ભોજન - પાનને ગ્રહણ કરે અને ખાય. બાવીશપરીષહ- તે પરીષહ અધ્યયનથી જાણવા. ઉક્તદોષાદિને ભિક્ષ પરિહાર વડે કે સહન કરવા વડે ઉપયોગવંત રહે. (૧ર૪૧) વેવીશ, સૂયગડાંગના ૨૩ - અધ્યયનો - તેમાંના સોળ તો સોળના ભેદમાં ‘સમય’ આદિ કહ્યા. સાત અધ્યયન તે પુંડરીક આદિ છે તે આ પ્રમાણે - પંડરીક, ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન, અણગાર, આદ્ધ અને નાલંદા. એ રીતે ૨૩ - અધ્યયન થયા. તથા રૂપમ - એક, તેનાથી અધિક અર્થાત્ ૨૩ શ્રી અધિક તે ૨૪ થાય. તે દેવને વિશે કહ્યા. દીવ્યક્તિ - ક્રીડા કરે છે તે દેવ - ભવનપતિ આદિ. અથવા ત્રણ જગત વડે જેની તવના કરાય છે, તે દેવ - કષભાદિ તીર્થકર તે ચોવીશ અરહંતો અથવા ભવનપતિ દશ, વ્યંતર આઠ, જ્યોતિક પાંચ, વૈમાનિક - એક પ્રકારે એમ ચોવીશ કક્ષા. (૧૨૪ર) જે ભિક્ષ યથાવત્ પ્રરૂપણાદિ વડે ઉપયોગવંત રહે છે. ક્યાં ? પચીશ ભાવનાઓમાં. તે અહીં મહાવત વિષયક ઇસમિતિ દિને પરિગ્રહણ કરાય છે. પચીશ ભાવનાઓ આ પ્રમાણે છે - ઇયસમિતિ, મનોગતિ, વચનગતિ, આલોક્તિ પાન ભોજન, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ એ પહેલાં વ્રતવિષયક પાંચ ભાવના કહી. બીજા વ્રત વિષયક પાંય ભાવના આ પ્રમાણે - ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક અને અનુવીયિભાષણતા. બીજા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે - અવગ્રહસ્તમ જ્ઞાપનતા, અવગ્રહ અનનુજ્ઞાપના ઇત્યાદિ પાંચ ભાવનાઓ પૂર્વવતુ જાણવી. ચોથા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે - સ્ત્રી પશુ પંડક સંસક્ત શયન આજ્ઞાનનું વર્જન, સ્ત્રી કથા વિવર્ષના, ઇત્યાદિ પાંચ ભાવના પૂર્વવત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy