SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨3. ૩૦/૧૧૯૭ થી ૧૯૦૧ વિશેષથી કહેલ છે. તેના બે ભેદ કહ્યા • વિચાર સહિત અર્થાત ચેષ્ઠાપૂર્વક વર્તે છે, તે સવિચાર અને તેનાથી વિપરીત તે અવિચાર. વિચાર કાયા - વચન - મનથી ત્રણ ભેદે હોય છે, તેથી તેના વિશેષ પરિજ્ઞાન અર્થે કહે છે - કાય ચેષ્ટા - ઉદ્વર્તન, પરિવર્તન આદિ કાયાપ્રવીયારને આશ્રીને થાય છે. તેમાં સવિચાર ભક્ત પ્રત્યાખ્યાન અને ઇંગિની મરણ છે. તેથી કહે છે - ભક્ત પ્રત્યાખ્યાનમાં ગચ્છ મધ્યવર્તી ગુરુએ આપેલ આલોચનાથી મરણને માટે ઉધત થયેલો વિધિપૂર્વક સંલેખના કરીને પછી ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પ્રત્યાક્યાન કરે, તે મૃદુ સંથારે બેસીને, શરીર, ઉપકરણાદિના મમત્વનો ત્યાગ કરીને સ્વયં જ નમસ્કાર બોલતો કે સમીપમાં રહેલા સાધુએ આપેલ નમસ્કારને ગ્રહણ કરતો છતી શક્તિએ સ્વયં ઉદ્વર્તે અને શક્તિ ન હોય તો બીજા પણ કંઈક કરે છે - X- x એ જ પ્રમાણે ઇંગિનીમરણ પણ સ્વીકારીને શુદ્ધ અંડિલે રહીને એકલો જ ચાર આહારના પ્રત્યાખ્યાન કરેલો, તે ભૂમિની છાયાથી ઉણ-ઉષ્ણ છાયામાં સ્વયં સંક્રમણ કરતો રહે - - - x-. અવિચાર તે પાદપોપગમન. તેમાં સવ્યાઘાત અને અવ્યાઘાતભેદથી બે ભેદે પણ વૃક્ષની માફક નિશ્ચેષ્ટપણે રહે છે. તેના વિધિ- દેવને અને યથાવિધિ ગુરુ આદિને વાંધીને તેમની પાસે સર્વેઆહારના પ્રત્યાખ્યાન કરે છે. સમભાવમાં સ્થિત આત્મા થઈ સિદ્ધાંતમાં કહેલા માર્ગથી ગિરિગુફા આદિમાં જઈને પાદપોપગમન કરે છે. બધે અપ્રતિબદ્ધ થઈ, દંડાયત આદિ સ્થાનથી રહીને, ચાવજીવ વૃક્ષની સમાન નિશ્ચેષ્ટ રહે છે. ફરી બીજા પ્રકારે તેના બે ભેદને કહે છે - (૧૨૦૧) અથવા બીજા પ્રકારે, પરિકર્મ સહિત એટલે કે સ્થાન. નિષદન, પડખાં ફેરવવા, વિશ્રામણ આદિ વડે જે વર્તે છે, તે સપરિકર્મ અને અપરિકર્મ, તેનાથી વિપરીત કહેલ છે. તેમાં સપરિકર્મ ભક્ત પ્રત્યાખ્યાન અને ઇંગિની મરણ છે. તેમાં ભક્ત પરિજ્ઞા સ્વયં કે અન્ય દ્વારા કરાતી બંને પણ અનુજ્ઞા છે. ઇંગિનીમરણમાં પરવર્જિત અને ચાર આહાર ત્યાગ છે. સ્થાન, બેસવું, સુવું આદિ જેમ સમાધિ રહે તેમ સ્વયં જ કરતો ઉપસર્ગ અને પરીષહોને સહન કરે છે. અપરિકર્મમાં પાદપોપગમન મરણ છે. નિષ્પતિ કમતામાં જ ત્યાં જણાવેલ છે. આગમમાં પણ કહે છે કે- સમ અને વિષમ સ્થાને પડતો. વૃક્ષની જેમ નિપ્રકંપ રહે છે. શરીરને નિશ્ચલ અને નિપ્રતિકર્મ રાખે છે. જેમ વાયુ આદિ વડે વનસ્પતિનું ચલન થાય તેમ આ પણ બીજાના પુરુષાર્થથી અથવા પ્રત્યનિકો વડે ચલાવાય છે. અથવા પરિફર્મ - સંલેખના, તે જેને હોય તે સપરિકર્મ, તેનાથી વિપરીત તે અપરિકર્મ. અવ્યાઘાતમાં આ ત્રણે બાર્થ અને ઉભયમાં નિષ્ઠિત નિપ્પાદિત શિષ્ય સંલેખનાપૂર્વક ધારણ કરે છે અન્યથા આર્તધ્યાન સંભવે છે.- ૪૧ ૪- તે સપરિકમ કહેવાય છે. જ્યારે વ્યાઘાતમાં પર્વત, ભીંત આદિના પડવાના અભિઘાતાદિ રૂપમાં સંલેખનાને ધારણ ન કરીને ભક્ત પ્રત્યાખ્યાનાદિ કરે છે, તે પરિકર્મ કહેવાય છે. નિહરણ - ગિરિકંદાદિમાં જઈને કે ગામ આદિની બહાર જઈને જે જે સ્થાને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy