________________
૧૨૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર • ૧૧૯૭ થી ૧૨૦૧
(૧૧૯૭) અનશન તપ બે પ્રકારે છે - ત્વરિક અને મરણકાળ. તેમાં ઇત્વરિક સાવાકાંક્ષ ક્ષેત્ર અને મરણકાળ નિરવકક્ષ હોય છે. (૧૧૯૮) સંક્ષેપથી ત્વરિક તપ છ પ્રકારે હોય છે - શ્રેણિતપ, તરતપ, ધનતપ, વતપ, (૧૧૯૯) વ વતપ અને છ પ્રકીર્ણ તપ. આ પ્રમાણે મનોવાંછિત વિવિધ પ્રકારના ફળને દેનારો ત્વરિક અનશન તપ ાણવો.
(૧ર૦૦) કાય ચેષ્ટાના આધારે મરણકાળ સંબંધી અનશનના બે ભેદ છે - સવિચાર અને અવિચાર. (૧ર૦૧) અથવા મરણફાળ અનશનના સપરિક્રર્મ અને અપરિકર્મ બે ભેદ છે. અવિચાર અનાશનના નિહાંરી અને અનિહરિી એ બે ભેદ પણ હોય છે. બંનેમાં આહારનો ત્યાગ હોય છે.
• વિવેચન • ૧૧૯૭ થી ૧૦૦૧
(૧૧૯૩) ઇત્વરક એટલે સ્વલ કાળ, નિયતકાળ અવધિક. અવસાન કાળ જેનો છે, તે મરણકાળ અર્થાત્ યાવજીવ. ખવાય છે તે અનશન • સંપૂર્ણ આહાર. તે દેશથી કે સર્વથી અવિધમાન હોય તેને અનશન કહે છે.
અનશન બે પ્રકારે છે - ઇવારિક તે અવકાંક્ષા સહિત હોય. જેમકે બે ઘટિકાદિ ઉત્તરકાળ ભોજનાભિલાષ રૂપથી વર્તે છે, તેથી સાવકાંક્ષ અને આકાંક્ષા જેમાંથી ચાલી ગયેલ છે તે નિરવકાંક્ષ - તે જન્મમાં ભોજનથી આકાંક્ષાનો અભાવ - ૪ - હવે ઇત્વક અનશનના ભેદો કહે છે -
(૧૧૯૮) ઇત્વક અનાશન સંક્ષેપથી છ ભેદે છે, વિસ્તારથી ઘણાં ભેદે છે. તે છ ભેદ આ પ્રમાણે છે - શ્રેણિ એટલે પંક્તિ તેને આશ્રીને જે તપ તે શ્રેણિતપ. તે ઉપવાસ આદિ ક્રમથી કરાતા અહીં છ માસ સુધી ગ્રહણ કરાય છે. તથા શ્રેણિને શ્રેણિ વડે ગુણનાં પ્રતર કહેવાય છે. તેને આશ્રીને થાય તે પ્રતરત૫. (અહીં વૃત્તિકારશ્રી એ શ્રેણિ અને ખતરને સમજાવવા માટેની તપોવિધિ અને સ્થાપના બતાવેલ છે, પણ અમે તેનો અનુવાદ કરેલ નશી. કેમકે વર્તમાનમાં કરાતો શ્રેણિતપ અને વિધિ ભિન્ન છે, છતર તપ તો પ્રસિદ્ધ જ છે.)
ધન તપ - અહીં સોળપદ રૂપ પ્રતર, પદ ચતુર્ય શ્રેણિથી ગુણતા ધન થાય છે. તેને આશ્રીને કરાતો તપ તે “ધન તપ” કહેવાય.
- વર્ગ તપ - ધનને ધન વડે ગુણતા જે આવે તે વર્ગતપ જાણવો.
(૧૧૯૯) વર્ગ વર્ગ - જો ઉક્ત વર્ગને જ વર્ગ વડે ગુણવામાં આવે તો તે વર્ગ વર્ગ તપ કહેવાય છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર પદને આશ્રીને શ્રેણિ આદિ તપને સમજાવેલ છે. જેમ કે શ્રેણિ ૪, પ્રતર - ૧૬, ધન - ૧૬ ૪ ૪ = ૬૪ વગેરે, એ પ્રમાણે વર્ણવર્ગ સુધી પાંચ પદોમાં ભાવના કરવી.
છઠ્ઠો તપ “પ્રકીર્ણ તપ” કહેલો છે. જેમાં શ્રેણિ આદિ નિયત રચના રહિત સ્વશક્તિ અપેક્ષાથી યથા કથંચિત તપ કરાય છે. તે નમસ્કાર સહિતાદિ પૂર્વપુરુષ આયરિત યવમધ્ય, વજમધ્ય, ચંદ્ર પ્રતિમા આદિ છે.
(૧૨૦૦) તે અનશનનો મરણાવસર ભેદ છે, તે બે પ્રકારે છે - તે તીર્થંકરાદિએ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org