SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ v/૧૮ • વિવેચન ૧. જમણે કે ડાબે પડખે ન બેસે. તે રીતે બેસવાથી અવિનય થાય. ગુરુને પણ વક્ર અવલોકનમાં સ્કંધ આદિને બાધા પહોંચે, આગળ ન બેસે. કેમકે તેથી વંદન કરનારને ગુરુનું વદન ન દેખાતા અપ્રીતિ સંભવે છે. કૃતિ – વંદનને યોગ્ય, તે અર્થથી આચાર્યાદિ, તેની પાછળ ન બેસે કેમકે બંનેને મુખનું દર્શન ન થાય. અતિ નીકટ બેસવા વડે એકમેકના સાથળને ન સ્પર્શે તેમ કરવાથી અતિ અવિનય થાય. ઉપલક્ષણથી બાકીના અંગના સ્પર્શનો પણ પરિહાર જાણવો. શય્યામાં બેસીને કે સુતા - સુતા ઉતર ન આપે. શચ્યા ત્યાગથી ગુરુના આકારથી કે કહેલને જાણી શકે અને અવજ્ઞા ન થાય. તેથી ગુરુના વચન પછી તુરંત જ સંભ્રાંત ચિત્તથી વિનયથી અંજલિ જોડી સમીપે આવી, પગે પડી, પોતાને અનુગ્રહીત કર્યો તેમ માની, ભગવન ! આપ મને અનુશાસિત કરો, તેમ કહે, ફરી તે જ કહે છે - W ૫૫ - સૂત્ર - ૧૯ ગુરુ સામે પલાઠી મારીને ન બેસે, બંને પાત્રોથી શરીર બાંધીને ન ભેંસે તથા પગને ફેલાવીને ન બેસે. . વિવેચન ર પસ્તિકા – મનુ અને જંઘા ઉપરનું વસ્ત્ર વીંટવા રૂપ, તે ન કરે. પૅિડ - બંને હાથને શરીર સાથે બાંધવા, સ્વંયત - સાધુ, -- ગુરુની અતિ નીકટ ન બેસે, પણ ઉચિત દેશે જ બેસે. અન્યથા અવિનય દોષ સંભવે છે. ઇત્યાદિ -૪-૪ હવે પ્રતિશ્રવણવિધિ વિશેષથી કહે છે . • • સૂત્ર - ૨૦ ગુરુની કૃપાને ઇચ્છનારો મોક્ષાર્થી શિષ્ય, આચાયો દ્વારા બોલાવાતા કોઈપણ સ્થિતિમાં મૌન ન રહે પણ નિરંતર તેમની સેવામાં ઉપસ્થિત રહે. ♦ વિવેચન - ૨૦ આચાર્ય, ઉપલક્ષણત્વથી ઉપાધ્યાય આદિથી વ્યાહત-બોલાવાય ત્યારે ગ્લાનાદિ અવસ્થામાં પણ મૌન ન રહે, પરંતુ એમ વિચારે કે - બીજા હોવા છતાં મને બોલાવે છે, તે ગુરુની કૃપા છે, તે પ્રમાણે પ્રાસાદપ્રેક્ષી બને, અથવા પ્રાસાદાર્થી - ગુરુના પરિતોષનો અભિલાષી થઈ મસ્તક વડે વંદન ઇત્યાદિ બોલતો સર્વકાળ સવિનય ઉંભો રહે. આ સૂત્ર ૧ ગુરુ દ્વારા એક કે અનેકવાર બોલાવાતા બુદ્ધિમાન લિપ્સ બેસી ન રહે, પણ આસન છોડીને, તેમના આદેશને અત્નપૂર્વક સ્વીકારે. • વિવેચન - સ આર્- કિંચિત્, એક વખતા બોલાવે કે વારંવાર બોલાવે ત્યારે વ્યાખ્યાનાદિથી વ્યાકુળતા હોવા છતાં બેસી ન રહે. પરંતુ આસન - પાદપુંછનાદિ છોડીને, બુદ્ધિ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy