SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ માટે કહે છે - હું બીજા વડે ન દમાઉં. કોના વડે? શીકારી દ્વારા રચેલ મયુરબંધાદિ બંધનો વડે, લતા - લકુટાદિ તાડન રૂપ વધ વડે. અહીં ઉદાહરણ આ છે - સેચનક નામે ગંધહસ્તી - અટવીમાં મોટા હસ્તિજૂથમાં રહેતો હતો. ત્યાં ચૂથપતિ થતાં બાળ હાથીને મારી નાંખતો હતો. કોઈ એક હારિણી ગર્ભવતી થતાં વિચરે છેજે કદાચ મારે હાથીનો જન્મ થશે, તો તેનો પણ આ હાથી વિનાશ કરી દેશે. તેથી તેણી ધીમે ધીમે ત્યાંથી સરકી જતી. વળી બીજે - ત્રીજે દિવસે જૂથમાં ભેગી થતી. તેણીએ એક ષિનો આશ્રમ જોયો. ત્યાં આશ્રય લીધો. તેણી ઋષિઓમાં પરિચિત બની. તેણીએ એક બાળ હાથીને જન્મ આપ્યો. તે હાથી ઋષિકુમારો સહિત કુલના બગીચાને સિયતો, તેથી તેનું “સેચનક” નામ કર્યું. હાથી મોટો થયો. ચૂથને જોયું. ચૂથપતિને હણીને તે ચૂથનો અધિપતિ થયો. આશ્રમને ભાંગી નાંખ્યો કેમકે બીજી કોઈ હાથણી પણ તેમ કરી ન શકે. તેથી તે કષિઓ રોષાયમાન થયા. હાથમાં પુષ્પો અને ફળો લઈને શ્રેણિક રાજાની પાસે ગયા. તેમણે કહ્યું કે - અહીં સર્વલક્ષણ સંપૂર્ણ સેચનક નામે ગંધહતિ છે. શ્રેણિક હાથીને પકડવા ગયો. તે હાથી દેવા અધિષ્ઠિત હતો. તેણે અવધિ વડે જાણ્યું કે આ લોકો અવશ્ય પકડી લેશે. તે દેવીએ કહ્યું- હે પુત્ર (હાથી) તું તારા આત્માને દમ. જેથી વધ-બંધન વડે બીજા તારું દમન ન કરે. હાથીએ તે વાત કબુલ કરી. સ્વયં જ રાત્રિના આવીને આલાન સ્તંભને આશ્રીને રહ્યો. જેમ આને સ્વયં દમનથી મહાગુણ થયો, તેમ મુક્તિના અર્થને પણ વિશિષ્ટ નિર્જરા થાય છે તેમ ન કરતા અકામ નિર્જરા થાય છે. ગુરુનું અનુવર્તન કરનારને પ્રતિરૂપ વિનય કહે છે. • ણ - જાહેરમાં કે ખાનગીમાં વાણીથી કે કર્મથી ક્યારેય આવાયની પ્રતિકૂળ અસરણ ન કરવું જોઈએ. • વિવેચન - ૧૭. પ્રત્યેકનીક- એટલે કે પ્રતિકૂળ. બુદ્ધ- વસ્તુતત્વના જાણકાર અથવા ગુરુની, પ્રતિકૂળ વર્તે. કેવી રીતે? વચનથી. શું તમે કંઈ જાણો છો? આ રીતે તમે વિપરીત પ્રરૂપણાથી અમને પ્રેરિત કર્યા છે અથવા કર્મથી - જેમકે સંથારાનું અતિક્રમણ કરે કે હાથ-પગથી પશે. લોકો સમક્ષ તેમ કરે અથવા એકલા ઉપાશ્રયમાં તેમ કરે. તો તેનો નિષેધ કર્યો છે. -x-x ફરીથી શુભૂષણારૂપ તે જ કહે છે. • સત્ર - ૫૮ ચાર્યની જડે ન બેસે, આગળ કે પીઠ પાછળ ન બેસે. ગરની બહુ જ નીક્ટ જજ ડાડીને ન બેસે. સારામાં જ રહીને ગરના કથિત દેશની સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy