________________
૯ જ
૨૯/૧૧૨૦
• વિવેચન - ૧૧૨૦ -
કોઈ આત્માને અત્યંત દુષ્ટપણે પરિભાવિત કરતો માત્ર નિંદાથી ન અટકે પરંતુ ગહ પણ કરે છે, તેને કહે છે.
ગહ બીજા સમક્ષ પોતાના દોષોને કહેવા વડે, અપુરસ્કારને પામે છે પુરસ્કાર - “આ ગુણવાનું છે" તેવું ગૌરવ પામવું તે. પુરસ્કારનો અભાવ તે અપુરસ્કાર, તે તે આત્માને અવજ્ઞા ઉત્પન્ન કરાવે છે. અપુરસ્કાર પ્રાપ્ત આત્મા બધે અવજ્ઞા પામતા,
ક્યારેક તેવા અધ્યવસાય પામીને પણ અવજ્ઞાના ભયથી કર્મબંધ હેતુ યોગ્ય અપ્રશસ્ત પ્રવૃત્તિ કરતો નથી. માત્ર પ્રશસ્ત યોગોને જ સ્વીકારે છે.
પ્રશસ્ત યોગ સ્વીકારેલો અણગાર અનંત વિષય પણાથી અનંત જ્ઞાન દર્શનને હણવાના સ્વભાવવાળા અનંતઘાતી જ્ઞાનાવરણાદિ કર્મ પર્યાયોની પરિણતિ વિશેષનો ક્ષય કરે છે અને મુક્તિ પામે છે. એ પ્રમાણે ન કહેવા છતાં બધે જ મક્તિ પ્રાતિને ફળ પણે જાણવી.
• સૂઝ - ૧૧૨૧ -
ભગવાન ! સામાયિકથી જીવને શું પ્રાપ્ત થાય છે? સામાસિક થકી જીવ સાવધ રોગોથી વિરતિને પ્રાપ્ત થાય છે.
• વિવેચન - ૧૧૨૧ -
આલોચનાદિ તત્ત્વથી સામાયિક વાળાને જ થાય છે, તેથી હવે સામાયિક કહે છે - તેનાથી સાવદ્ય - અવધ સહિત વર્તે છે તે, કર્મબંધના હેતુઓ અને યોગ - વ્યાપાર, તે સાવધ યોગથી વિરતિ થાય છે. તે વિરતિ સહિતને જ સામાયિક સંભવે છે.
• સૂત્ર - ૧૧૨ -
ભગવાન ! ચતુર્વિશતિ સ્તવથી જીવને શું કામ થાય છે? ચતુશિતિ સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિને પામે છે.
• વિવેચન - ૧૧૨ -
સામાયિકને સ્વીકારવાની ઇચ્છાવાળાએ તેના પ્રણેતાની સ્તુતિ કરવી જોઈએ. તેઓ તાવથી તીર્થકર જ હોય છે, તેથી તેનું સૂત્ર કહે છે - આ અવસર્પિણીમાં થયેલા ચોવીશે તીર્થકરના ઉત્કીર્તનરૂપ દર્શન - સખ્યત્વ, તેની વિશુદ્ધિ તેને ઉપઘાત કરતા કર્મોને દૂર કરીને નિર્મળ થવું તે દર્શન વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે.
• સૂત્ર - ૧૧૨૩ -
ભગવાન ! વંદનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વંદનાથી જીવ નીસગોત્ર કર્મનો ક્ષય કરે છે અને ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે આતિહત સૌભાગ્યને પામે છે, સર્વજનને ય થાય છે. તેની આજ્ઞા બધે મનાય છે, તે જનતાથી દાક્ષિણ્યને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org