SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ(૩ • વિવેચન - ૧૧૨૩ - તીર્થકરોની સ્તવના કરીને પણ ગુરુ વંદન પૂર્વક જ તેની પ્રતિપત્તિ થાય છે, તેથી વંદનને કહે છે. આચાર્યાદિના ઉચિત્ત વિનયરૂપ વંદન વડે અધમ કુળમાં ઉત્પત્તિ રૂપ કર્મબંધનો ક્ષય થાય છે. તેનાથી વિપરીત ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે. સર્વજનને સ્પૃહણીય થાય છે. બધે જ આપતિખલિત આજ્ઞાવાળો થાય છે. લોકો તેના વચનને સ્વીકારે છે. તેવો જ પ્રાયઃ આદેય કર્મના ઉદયવાળો થાય છે. લોકોનો તેના પ્રત્યે અનુકૂળ ભાવ જન્મે છે. તેનું માહાસ્ય પણ બધાને અનુકૂળ થાય છે. • સૂત્ર - ૧૧૨૪ - ભગવાન ! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે પ્રતિક્રમણ વડે જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રોને બંધ કરે છે. આવો વ્રતોના છિદ્રોને બંધ કરનારો જીવ આશ્રયોનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. આઠ પ્રવચનમાતામાં ઉપયુક્ત થાય છે. સંયમ યોગમાં આપૃથક્ત થાય છે. સન્માર્ગમાં સમ્યફ સમાધિસ્થ થઈને વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૨૪ - ઉક્ત ગુણોથી સ્થિત હોવા છતાં પણ મધ્યમ તીર્થકરોના તીર્થમાં ખલના થાય ત્યારે અને પહેલાં - છેલ્લા તીર્થકરમાં તેના અભાવે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી પ્રતિક્રમણ કહે છે - અપરાધથી પાછું ફરવા રૂપ, પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ વ્રતોના છિદ્રો - અતિચાર રૂપ વિવરોને ઢાંકે છે - દૂર કરે છે. વળી તેવો વ્રતના છિદ્રોને ઢાંકેલો આત્મા, સર્વથા હિંસાદિ આશ્રવનો નિરોધ કરીને અશબલ ચારિત્ર વાળો થાય છે તથા આઠ પ્રવચન માતામાં ઉપયોગવાળો થાય છે. અપૃથફ - સદા સંયમ યોગવાળો થાય છે. અથવા પ્રમત્ત થાય છે. સંયમમાં પ્રસિઘાત વાળો થાય છે અથવા અસત્ માર્ગથી ઇંદ્રિયોને પાછી ખેંચીને સન્માર્ગમાં સ્થાપીને વિચારનાર થાય છે. • સૂત્ર - ૧૧૫ - ભગવન ! શાસોત્સવી અવને શું કામ થાય છે તેનાથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત યોગ્ય અતિસારનું વિસોધન કરે છે. પ્રાયશ્ચિતeી વિશુદ્ધિ થયેલ જીવ, પોતાના ભારને ઉતારી દેનાર ભારવાહકની માફક નિવૃત્ત હૃદય થઈ જાય છે. ખાસ ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૨૫ - અહીં અતિચાર શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરવો જોઈએ, તેને કહે છે. કાય - શરીર, તેનો ઉત્સર્ગ - આગમોક્ત નીતિથી પરિત્યાગ તે કાયોત્સર્ગ છે. તેનાથી અતીત - લાંબાકાળના સંચિત, વર્તમાનમાં, બંધાતા, એવા અને પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારને અર્થાત તેનાથી ઉપાર્જિત પાપને દૂર કરવા વડે વિશુદ્ધ પ્રાયશ્ચિત કરેલ આત્મા અંતઃકરણથી સ્વસ્થ થાય છે. કોની જેમ? જે રીતે ભાને ઉતારી નાખેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy