________________
૨૮/૧૦૭૮
૭ વિવેચન - ૧૦૭૮ -
અનંતર કહેલા એવા માર્ગને અનુપ્રાપ્ત - આશ્રીને જીવો શોભન ગતિમાં જાય છે. જ્ઞાનાદિ મુક્તિ માર્ગ કહ્યો, તેથી તેનું સ્વરૂપ અહીં બતાવ્યું. તે તેના ભેદોના અભિધાનથી અભિહિત જ થાય છે. તેથી જ્ઞાનના ભેદ -
♦ સૂત્ર - ૧૦૭૯ -
તેમાં પાંચ ભેદે જ્ઞાન છે . શ્રુત જ્ઞાન, અભિનિબોધિક જ્ઞાન, અવધિ જ્ઞાન, મનો જ્ઞાન અને કેવળ જ્ઞાન.
♦ વિવેચન
૧૦૭૯ -
તેમાં - જ્ઞાનાદિમાં, જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) જે સંભળાય તે શ્રુત - શબ્દ માત્ર, તે દ્રવ્ય શ્રુત જ છે. તે શબ્દને સ્વયં સાંભળ કે બોલે અથવા પુસ્તકાદિમાં રહેલ, ચક્ષુ આદિ વડે અક્ષરો ઉપલબ્ધ થાય કે બાકીની ઇંદ્રિયોથી ગૃહીત અર્થ વિકલ્પી અક્ષર રૂપ વિજ્ઞાન ઉજાવે તે અહીં ભાવ શ્રુત, શ્રુત શબ્દથી કહેલ છે. (૨) અભિમુખ યોગ્ય દેશ અવસ્થિત વસ્તુની અપેક્ષાથી નિયત સ્વ સ્વ વિષયના પરિચ્છેદકપણાથી અવબોધ તે અભિનિ બોધ. તે જ આભિનિબોધિક જ્ઞાન,
-
(૩) અવધિ - અવ શબ્દ અધ અર્થમાં છે. તેથી અધસ્તાત - નીચે નીચે જાય છે. તે અઘોઘો અથવા અવધિ - મર્યાદા, રૂપી દ્રવ્યોમાં જ દ્રવ્યોમાં પરિચ્છેદક્તાથી પ્રવૃત્તિ રૂપ હોવાથી તેને આશ્રીને જ્ઞાન પણ અવધિ કહ્યું, જેના વડે જણાય કે જાણે છે તે જ્ઞાન. (૪) મન શબ્દથી દ્રવ્ય અને પર્યાયના કથંચિત્ ભેદથી મનોદ્રવ્યપર્યાય ગ્રહણ કરાય છે, તે સંજ્ઞી વિકલ્પ હેતુમાં જ્ઞાન, તે મનોજ્ઞાન, તેને જ મન પર્યવજ્ઞાની સાક્ષાત્ જાણે છે, બાહ્યને નહીં. (૫) કેવલ - એક અકલુષ અકલ અસાધારણ અનંત જે જ્ઞાન તે કેવળજ્ઞાન,
*
(શંકા) નંદી આદિમાં મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહેલ છે, તો અહીં પહેલાં શ્રુતજ્ઞાન કેમ લીધું ? (સમાધાન) બાકીના જ્ઞાનોનું સ્વરૂપ જ્ઞાન પ્રાયઃ તેને આધીન છે, તેવું પ્રાધાન્ય જણાવવાને માટે કહેલ છે.
હવે જ્ઞાન શબ્દના સંબંધી શબ્દત્વ આદિ જેમાં છે તે જ્ઞાન, તેને જણાવવાને માટે હવે કહે છે -
• સૂત્ર - ૧૦૮૦ -
આ પાંચ પ્રકારનું જ્ઞાન બધાં દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું જ્ઞાન છે - એ પ્રમાણે જ્ઞાનીઓએ કહેલ છે.
વિવેચન - ૧૦૮૦ -
અનંતરોક્ત પંચવિધ જ્ઞાન તે તે પર્યાયોમાં જાય છે તે દ્રવ્ય - જે કહેવાનાર લક્ષણરૂપ છે. ગુણ - રૂપ આદિ, પર્યાય - બધી તરફથી દ્રવ્યો અને ગુણોમાં જાય છે, અવબોધક, જ્ઞાતિ - અતિશય જ્ઞાનયુક્ત કેવલી વડે
તે પર્યાય.
- ૪ - ૪ - ન
Jain Education International
·
For Private & Personal Use Only
www.jainelibrary.org