________________
૨૩/૯૨૫
સૂત્ર - ૨૫ + વિવેચન -
ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે બીજો પણ એક સંદેહ છે. ગૌતમા તે વિષયમાં મને કહો .
વ્યાખ્યા પૂર્વવત્ સ્થાનને જ પામે છે, તેથી સ્થાનદ્વાર કહે છે - • સૂત્ર - ૯૨૬ થી ૯૩૦
(૯૨૬) હે મુનિ! શારીરિક, માનસિક દુઃખોથી પીડિત પ્રાણીને માટે તમે તેમ, શિવ, અનાબાધ કયા સ્થાનને માનો છો? (૯૨૭) ગૌતમે કહ્યું . લોકો એક એવું સ્થાન છે, જ્યાં જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ કે વેદના નથી. પણ ત્યાં પહોંચવું મુશ્કેલ છે. (૯૨૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે સ્થાન કયુ છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું (૯૨૯) જે સ્થાને મહર્ષિ રહે છે, તે સ્થાન નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર છે તે ક્ષેમ, શિવ, અનાબાધ છે. (૯૩૦) ભવૌધનો અંત કરનાર મુનિ, જેને પામીને શોક કરતા નથી. તે સ્થાન લોકાગ્રે શાશ્વત રૂપે અવસ્થિત છે. જ્યાં પહોંચવું કઠીન છે. • વિવેચન
૯૨૬ થી ૯૩૦
A
-
Jain Education International
BE
શારીરિક માનસિક દુઃખોથી પીડાતા, આકુલ ક્રિયમાણતાથી જીવોને વ્યાધિરહિતતાથી ક્ષેમ, સર્વ ઉપદ્રવ અભાવથી શિવ, સ્વાભાવિક બાધા રહિતતાથી અનાબાધ, એવા સ્થાનને તમે જાણો છો? ગૌતમે કહ્યું. એક દુઃખથી આરોહી શકાય તેવું સ્થાન સમ્યગ્દર્શનાદિ ત્રણથી પતાય છે. ત્યાં વ્યાધિના અભાવે ક્ષેમત્વ, જરામરણના અભાવે શિવત્વ, વેદનાના અભાવે અનાબાધત્વ કહેલ છે. તે ધ્રુવ આદિ છે. કર્મ રૂપી અગ્નિના ઉપશાંત થવાથી અહીં પ્રાણી શીત થાય છે માટે નિર્વાણ કહ્યું. તેમાં પ્રાણીઓ નિષ્ઠિતાર્થ થાય છે. સર્વ જગત્ની ઉપર તેનું સ્થાન છે. ત્યાં તેનો શાશ્વત વાસ છે. તે પામીને જીવો નારકાદિ ભવોનો અંતઃકર થાય છે, ફરી જન્મ લેતા નથી. - સૂત્ર - ૯૩૧ -
ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ પણ દૂર કર્યો. હે સંશયાતીત! સર્વ શ્રુત મહોદધિ! તમને નમસ્કાર.
♦ વિવેચન - ૬૩૧ -
તમને નમસ્કાર થાઓ, હે સંદેહ અતિક્રાંત! સર્વ સૂત્રોના આધાર-રૂપ! આના વડે ઉપબૃહણાગર્ભ સ્તવના કરી, પ્રશ્નનો ઉપસંહાર નિયુક્તિકાર કરે છે. આ જ ક્રમથી કેશી વડે પ્રશ્નો કરાયા, તેમાં બધાં અનુષ્ઠાનોમાં શિક્ષાવ્રત પહેલું કહ્યું, પછી વસ્ત્રોની આવશ્યક્તાથી લિંગ દ્વાર કહ્યું. સુખેથી ધર્મ પાલન માટે શત્રુનો જય કહ્યો. તેમાં કાર્યો જ ઉત્કટ છે, તેથી રાગ-દ્વેષ રૂપ પાશ છેદવાનું કહ્યું.
- * - * - *
ઇત્યાદિ ગાથાપદનું તાત્પર્ય જાણવું,
For Private & Personal Use Only
www.jainelibrary.org