________________
૩૮
ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ • સૂત્ર • ૯૧૬ થી ૯૧૯ -
(૯૧૬) ગૌતમ મહાપ્રવાહવાળા સમુદ્રમાં નાવ ડગમગી રહી છે, તમે તેના ઉપર ચઢીને તમે કઈ રીતે પાર જશો? (૧) જે નાવ છિદ્રવાળી છે, તે પાર જઈ શક્તી નથી, છિદ્રરહિત નાવ પાર જઈ શકે છે.
(૧૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે નાવ કઈ છે ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યું - (૯૧૯) શરીર નાવ છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે, જેને મહર્ષિ તરી જાય છે.
• વિવેચન - ૯૧૬ થી ૯૧૯ -
આવ - સમદ્ર, મહીંઘ - બહતુ જળ પ્રવાહ. હે ગૌતમ! નાવ ઉપર ચઢીને કઈ પ્રકારે પાર પામશો? ગૌતમે કહ્યું - અગ્રાવણ - જળ સંગ્રાહણી અને સામ્રાતિft - જેમાં જળ પ્રવેશતું હોય તેવી, તે સમુદ્રને પાર જઈ ન શકે. જે કિસ્સાવિણ - છિદ્ર રહિત નાવ છે, તે અવશ્ય પાર પહોંચાડનારી છે. શરીર એ નાવ છે. તે જ સમ્યગદર્શન આદિ ત્રણ અનુષ્ઠાન હેતુ પણાથી, જીવને ભવોદધિથી નિસ્વારક છે, તેમ તીર્થકરે પ્રતિપાદિત કરેલ છે. તે જ ઉક્તરૂપ નાવ વડે ભવોદધિને તરે છે. કેમકે તત્ત્વથી તે જ તાનાપણે છે.
• સૂત્ર - ૯૨૦ + વિવેચન -
ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કયો. મારો એક બીજે પણ સંદેહ છે. હે ગૌતમ તે વિષયમાં મને કહો -
વ્યાખ્યા પૂર્વવતું. હવે ‘અંધકારનું વિધાટન’ એ અગિયારમું દ્વાર - • સૂમ - ૯૨૧ થી ૯૨૪ •
(૨૧) ભયંક્ર ગાઢ અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સંપૂર્ણલોમાં પ્રાણીઓ માટે કોણ પ્રકાશ ફરશે? (૯૨૨) ગૌતમે કહ્યું - સંપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર નિર્મળ સૂર્ય ઉદિત થઈ ચૂક્યો છે. તે બધાં પ્રાણીઓ માટે પ્રકાશ કરશે. (૨૩) શીએ ગૌતમને પૂછવું - “તે સૂર્ય કોણ છે?” ત્યારે ગૌતમે તેને આ કહ્યું - (૨૪) જેનો સંસાર ક્ષીણ થયો હોય, જે સર્વજ્ઞ હોય, એવા જિન ભાસ્કર ઉદિત થયેલ છે, તે બધાં પ્રાણી માટે પ્રકાશ કરશે.
• વિવેચન - ૯૨૧ થી ૯૨૪ -
અંઘ - ચક્ષુના પ્રવૃત્તિના નિવર્ણકપણાના અર્થથી લોકને અંધકાર કરે છે, તે ભયાનક અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સમસ્ત જગતના પ્રાણીને કોણ ઉધોતા કરશે? ગૌતમે કહ્યું-નિર્મળ સૂર્ય ઉગી ગયો છે. તે સર્વ જગતનો પ્રકાશ વિધાતા છે. તે કોણ છે? ભવભ્રમણ છુટી ગયેલ સર્વજ્ઞ, અરહંત રૂપ સૂર્ય સમસ્ત વસ્તુ પ્રકાશક છે. તે જ અંધકારને નિવારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org