SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૮૮૫ - પૂર્વવતું. હવે પાશ અવબદ્ધત્વને આશ્રીને ચોથું દ્વાર કહે છે. • સૂત્ર • ૮૮૬ થી ૮૮૯ - (૮૮૬) આ સંસારમાં ઘણાં જીવો પાશથી બદ્ધ છે. હે મુનિ! તમે આ બંધનથી મુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો? ત્યારે ગૌતમે કહ્યું - (૮૮૭) હે મુનિ તે બંધનોને બધાં પ્રકારે કાપીને, ઉપાસોને વિનષ્ટ કરી, હું બંધનમુક્ત અને હળવો થઈને વિચરણ કરું છું. (૮૮૮) હે ગીતમાં તે બંધન કયા છે? કેશીએ આમ પૂછતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૮૯) તીત રાગદ્વેષાદિ અને નેહ ભયંકર બંધન છે. તેને કાપીને ધર્મનીતિ તથા આયા અનુસાર હું વિચરણ કરું છું. • વિવેચન - ૮૮૬ થી ૮૮૯ - પાશ વડે બદ્ધ - નિયંત્રિત પ્રાણી પાશને તજીને જ લઘુભૂત • વાયુ, તેની જેમ લઘુભૂત થઈ બધે જ અપ્રતિબદ્ધપણે વિચરે, તે લોબંધક પાશાને બધાંને તોડીને પુનર્બન્ધ અભાવ લક્ષણથી અતિશય વિનાશ કરીને, કઈરીતે? સબૂત ભાવના અભ્યાસથી. તે પાશ કોને કહે છે? રાગદ્વેષાદિને, આદિ શબ્દથી મોહ પણ લેવો. ગાઢ નેહ જે પત્ર, પત્ની આદિ સંબંધ છે તે પણ પાશની જેમ પરવશતાનો હેતુ છે. અતિ ગાઢ હોવાથી પગના અંતર્ગત છતાં તેનું ફરી ઉપાદાન કર્યું. તે અનર્થ હેતુપણાથી ત્રાસને ઉત્પન્ન કરનાર છે. યથાક્રમ એટલે યતિ વિહિત આચાર, તેને ઉલ્લંધ્યા વિના. • સુત્ર - ૮૯૯ - ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે એક બીજે પણ સદેહ છે. હે ગૌતમાં તે વિષયમાં તમે મને કહ્યું - • વિવેચન - ૮૯૦ - પૂર્વવતું. હવે પાંચમા દ્વારનો અવસર છે. જેના વડે ભવ વિસ્તારાય છે, તે તંતુ એટલે ભવતૃષ્ણા. તે જ બંધનો હેતુ હોવાથી બંધન છે, તેનું ઉમૂલન તે તંતુ બંધન ઉદ્ધરણ. તેને આશ્રીને કહે છે - • સૂત્ર - ૮૯૧ થી ૮૯૪ - (૮૯૧) હે ગૌતમ હૃદયમાં ઉત્પન્ન એક લતા છે. તેમાં વિષતુલ્ય ફળો થાય છે. તેને તમે કઈ રીતે ઉખેડી? (૮૨) કેશll તે લતાને સર્વથા છેદીને તથા જડથી ઉખેડીને નીતિ અનુસાર હું વિચરણ કરું છું. તેથી હું વિષફળ ખાવાથી મુક્ત છું. (૮૯૩) કેશીએ ગૌતમને પૂછવું - તે લતા કેવી છે? ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૪) ભવતૃષ્ણા જ ભયંકર લતા છે. તેમાં ભીમ ફલોદયા ફળ ઉગે છે. તે મહામુનિ તેને જડથી ઉખાડીને હું નીતિ અનુસાર વિચરું છું. • વિવેચન - ૯૯૧ થી ૮૯૪ - મનમાં ઉત્પન્ન લતા છે. હે ગૌતમાં તેમાં વિભક્ષ્ય - અંતે દારુણપણાથી વિશ્વની ઉપમાવાળા ફળો થાય છે. તે તમે કઈ રીતે તોડી નાંખ્યા? તે લતાને સમૂળ છેદીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy